વિજાપુર અભુજી નગર ના અંતરીયાળ વિસ્તાર મા પીવાનું પાણી પુરતા પ્રમાણે નહિ આવતું હોવાની રહીશો ની ફરીયાદ
(પાણી પુરવઠા વિભાગ દ્વારા અભુજી નગરમા ક્યાં પાણી નથી આવતું તેની તપાસ કરાશે અને પ્રશ્ન નો નિકાલ સત્વરે કરાશે : પાણી પુરવઠા વિભાગ પાર્થ પટેલ )
વિજાપુર તા.
વિજાપુર શહેર માં આવેલ અભુજી નગર મા છેલ્લા પંદર દિવસથી રોહીત વાસ દેવીપૂજક વાસ ને અડીને આવેલા અંતરીયાળ વિસ્તાર માં છેલ્લા વીસ થી પચ્ચીસ ઘરો મા પીવાનુ પુરતા પ્રમાણે પાણી નહિ આવતું હોવાની રહીશો મા ફરીયાદ ઉઠી છે. સ્થાનીક રહીશો ના જણાવ્યા મુજબ પીવાનું પાણી પુરતા પ્રમાણમાં આવતું નથી તેમજ પાણી નો ફોર્સ મળતુ નથી. અમો એ આ અંગે પાલીકા મા રજૂઆત કરી છે. પરંતુ પીવાના પાણી ના સમસ્યા હલ થઈ નથી સત્વરે પીવાના પાણીની સમસ્યા નિકાલ કરવા માંગ ઉઠી છે. અભુજી નગર ખુબજ મોટો વિસ્તાર માં પથરાયેલ છે. જેમાં છેલ્લા બનેલા વીસ પચ્ચીસ ઘરો મા પીવાના પાણી ની સમસ્યા ઊભી થઈ છે. જોકે અભુજી નગર મા આગળ ના વિભાગ મા પીવાનું પાણી પોહચી રહ્યુ છે. પરંતુ સોસાયટી ના અંદર છેલ્લા વિભાગ મા પીવાનું પાણી પોહચતું નથી જેને લઇ રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. હાલ માં કેટલાક રહીશો પીવાનું પાણી બહાર થી ટ્રેકટર મંગાવી ને પૂરું કરી રહ્યા છે ત્યારે તંત્ર સત્વરે તેનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે. આ અંગે પાણી પુરવઠા વિભાગ ના પાર્થ ભાઈ પટેલ નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે અભુજી નગર મા પીવાનું પાણી પુરતા ફોર્સ સાથે આપવા મા આવે છે. જો સોસાયટી ના અંદર ના વિસ્તાર માં પાણી ના પોહચતુ હોય તો કેટલા ઘરો મા પીવાના પાણી ના મોટરો ચાલુ હોય તો કદાચ ફોર્સ નહિ મળતું હોય બાકી અભુજી નગર મા પ્રથમ અને બીજા વિભાગ મા પાણી ની કોઈ સમસ્યા નથી. તેમ છતાંય જો પાણી નહિ પોહ્ચતું હોય તેવા ઘરો ની તપાસ કરી પીવાનું પાણી કેમ મળતું નથી તેની યોગ્ય તપાસ કરી પ્રશ્ન નો નિકાલ લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જોકે અહીંના રહીશો એ પીવાનું પાણી સત્વરે મળે તેવી તંત્ર પાસે અપેક્ષા રાખીને બેઠા છે.