MEHSANAVIJAPUR

વિજાપુર આનંદપુરા (કુ)ગામનો પરીવાર અમેરીકા જતા મેક્સિકો સેનડિએગો ના દરીયા બોટ પલ્ટી મારતાં માતા પિતા નો બચાવ બે બાળકો ના મોત

વિજાપુર આનંદપુરા (કુ)ગામનો પરીવાર અમેરીકા જતા મેક્સિકો સેનડિએગો ના દરીયા બોટ પલ્ટી મારતાં માતા પિતા નો બચાવ બે બાળકો ના મોત
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આનંદપુરા (કુ) ગામનો પરીવાર ગેર કાયદેસર રીતે બોટમાં બેસી મેક્સિકો થી અમેરીકા જતા બોટ પલ્ટી મારી જતાં પરીવારના ચાર સભ્યો પૈકી બે બાળકો ના મોત અને માતા અને પિતા નો બચાવ થયો છે જે હાલ માં સેન ડિયેગો સિપ્રસ મેમોરિયલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલ બે બાળકો મા પ્રિન્સ નો મૃત દેહ મળ્યો છે પરંતુ હજુ પુત્રી નો દેહ મળ્યો નથી. જેની શોધખોળ ચાલી રહી છે અમદાવાદ રહેતા અને મૂળ આનંદ પુરા કુકરવાડા ના બ્રિજેશ ભાઈ પટેલ પોતાના પરીવાર સાથે ગેરકાયદેસર રીતે બોટ દ્વારા મેક્સિકો થી અમેરીકા જવા નીકળ્યા હતા તે દરમ્યાન સેન ડિયેગો ના દરીયા કીનારે પોહચાતા દરીયા મા મોજું આવતા બોટ પલ્ટી મારી ગઈ હતી. બોટ મા બેઠેલા અન્ય લોકો પણ હતા જેમાં આનંદપુરા (કુ) ના બેઠેલા બ્રિજેશ ભાઈ ઈશ્વર ભાઈ પટેલે તેમના પત્ની જાગૃતિ બેન બ્રિજેશભાઈ પટેલ અને પુત્ર પ્રિન્સ બ્રિજેશભાઈ પટેલ 15 વર્ષ તેમજ પુત્રી માહી બ્રિજેશભાઈ પટેલ 10 વર્ષ પણ હતા ગત સોમવારે બનેલી આ ઘટના મા બ્રિજેશ ભાઈ પટેલ અને તેમના પત્ની જાગૃતિ બેન પટેલ નો બચાવ થયો હતો જે સેન ખાતે સ્પ્રિસ મેમોરિયલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ છે જ્યારે બંને બાળકો નુ ડૂબી જતાં મોત નિપજ્યું હતુ જેમાં પુત્ર નો મૃત દેહ મળ્યો છે જ્યારે પુત્રી મહી નો દેહ ની શોધ ખોળ ચાલી રહી છે. જ્યારે બ્રિજેશ ભાઈ પટેલ અને જાગૃતિ બેન પટેલ હાલ સારવાર સાથે( સીબીપી ) યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન મા છે.

Back to top button
error: Content is protected !!