MEHSANAVIJAPUR

વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત ની સરપંચ સભ્યો ની ચૂંટણી નો કરાયો બહિષ્કાર એક ચૂંટણી નો ફોર્મ ભરાયુ નહિ મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું

વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત ની સરપંચ સભ્યો ની ચૂંટણી નો કરાયો બહિષ્કાર એક ચૂંટણી નો ફોર્મ ભરાયુ નહિ મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત ની આઠ ગામો ની પંચાયત જાહેર કરવા મા આવ્યા બાદ આવેલ સરપંચ અને પંચાયતના સદસ્યોની ચૂંટણીમા એક પણ ફોર્મ નહિ ભરી ને ચૂંટણી નો બહિષ્કાર કરી મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદન પત્ર આપી ગ્રામ પંચાયત ની ગ્રામ સભા મા લેવા મા આવેલ નિર્ણયો ઉપર ધ્યાન આપી પાલીકા મા ગયેલ સર્વે નંબરો અને ગોચર જમીન તળાવો પરત કરવા માંગ કરી હતી. અને ગ્રામ પંચાયત ના સરપંચ અને સભ્યો ની ચૂંટણી નો બહિષ્કાર કર્યો હતો. આ અંગે જૂથ પંચાયત હદ વિસ્તાર મણીપુરા ગામના ડાહ્યા ભાઈ પટેલ અને મુલચંદ ભાઈ પટેલે જણાવ્યું હતુકે પાલીકા નો સીમાંકન વધારવા માટે સરકાર દ્વારા 15/1/2025 મા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતુ. જેમાં જૂથ પંચાયત ના આઠ ગામના સર્વે નંબરો આવતા તમામ જગ્યાઓ ગોચરો એન એ સર્વે નંબરો વગેરે પાલીકા મા લઈ ગયેલ છે. જેના કારણે વહીવટ માટે ગોવિંદપુરા જૂથ પંચાયત પાસે પુરતી જગ્યા નથી તળાવો ગોચર ની જગ્યા તેમજ ટ્યુબવેલ સહિત ની જગ્યાઓ પરત આપો તેવી માંગ કરી હતી. અને સમગ્ર આઠ ગામોએ ભોળા બાપજી ના મંદિરે ગ્રામ સભા કરી પંચાયતના સરપંચ તેમજ સભ્યો ની ચૂંટણી નો બહિષ્કાર કર્યો હતો.

Back to top button
error: Content is protected !!