વિજાપુર મણીપુરા ભાવસોર તરફ જતા રોડ ઉપર આવેલ સોસાયટી નજીક રોડ ઉપર માટી નાખવા મા આવતા કાદવ કીચડ ના કારણે વાહન ચાલકો રહીશો ને અવર જવર મા પરેશાની
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મણીપુરા ગામ થી ભાવસોર પાટીયા તરફ જતા રોડ ઉપર આવેલ ખેતરોમાં વરસાદી પાણી જઈ શકે નહીં તે માટે રોડ ઉપર માટી નાખવા મા આવી છે હાલ માં વરસાદ આવતા માટી ને પાણી ભેગું થતા કાદવ કીચડ ફેલાયું હતું આસપાસ ના રહીશો તેમજ સોસાયટી ના રહીશો ને વાહન લઈ નીકળવાનું મુશ્કેલ બન્યું છે જેના કારણે આસપાસના રહીશો અને સોસાયટી વાળોને ખૂબ જ તકલીફ પડી રહી છે આ બાબતે રહીશો સોસાયટી ના લોકો દ્વારા પંચાયત ને અનેક વખત રજૂઆત કરવા આવી છે પરંતુ પંચાયત દ્વારા કોઈ નિકાલ કરાયો નથી આ અંગે અહીંના સ્થાનીક રહીશો એડવોકેટ કૃણાલ બારોટે જણાવ્યું હતુકે અહી ખેતરો મા પાણી ઘૂસે નહિ તે માટે રોડ ઉપર માટી નાખી છે જે નાખેલ માટી ના કારણે કાદવ કીચડ ખૂબ થયો છે સોસાયટી મા આવતા જતાં લોકો ને વાહન વ્યવહાર તેમજ પગે ચાલતા જતા લપસી પડાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પંચાયત ને આ બાબત ની જાણ કરી છે પરંતુ પંચાયત સમસ્યા નો ઉકેલ માટે તસ્દી લેતી નથી સત્વરે આનો ઉકેલ લાવે તેવી સ્થાનીક રહીશો મા માંગ ઉઠી છે.