GUJARATRAJKOTVINCHCHHIYA
Rajkot: વીંછિયા તાલુકાના વનાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: દરેક નાગરિક સરકારશ્રીની વિવિધ યોજનાથી માહિતગાર થાય અને યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય હેતુથી સરકાર દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વીંછિયા તાલુકાના વનાળા ગામમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓની જાણકારી આપીને તમામ લોકોને યોજનાઓ અંગે જાગ્રત થઈ લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.