GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખાખરાળા તાલુકા શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાશે

MORBI:મોરબીના ખાખરાળા તાલુકા શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાશે!

 

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

ગુરુવંદના-સ્નેહમિલન સહિતના કાર્યક્રમો યોજાશે!

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે આવેલી ખાખરાળા તાલુકા શાળાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં આગામી તારીખ ૬ જૂન ને શુક્રવારના રોજ ખાખરાળા તાલુકા શાળા તથા સમસ્ત ખાખરાળા ગામ દ્વારા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. આ નિમિત્તે ગુરુવંદના-સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

૬ જૂનના રોજ સવારે ૮-૦૦ કલાકે ખાખરાળા તાલુકા શાળા ખાતે શતાબ્દી મહોત્સવની ઉજવણી થશે. આ કાર્યક્રમમાં બેલા સ્થિત ખોખરા હનુમાનજી મંદિરના મહામંડલેશ્વર મા કનકેશ્વરીદેવીજી, જોધપર (નદી) સ્થિત શાંતિ નિકેતન આશ્રમના ભાણદેવજી મહારાજ અને નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે.

Back to top button
error: Content is protected !!