MORBI:મોરબી આયુષ હોસ્પિટલની વધુ એક મોટી સફળતા ૮૩ વર્ષના વૃદ્ધને વેન્ટિલેટર પરથી મળ્યું નવજીવન

MORBI:મોરબી આયુષ હોસ્પિટલની વધુ એક મોટી સફળતા ૮૩ વર્ષના વૃદ્ધને વેન્ટિલેટર પરથી મળ્યું નવજીવન
મોરબી: ક્રિટિકલ કેર ક્ષેત્રે સતત સફળતાના પર્યાય બનેલા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ૮૩ વર્ષની જૈફ વયના વૃદ્ધ દર્દીને ગંભીર હાલતમાંથી હેમખેમ બહાર લાવી નવું જીવન અર્પણ કરવામાં આવ્યું છે.
ગત ૧૦ ફેબ્રુવારી, ૨૦૨૬ના રોજ ૮૩ વર્ષના એક વૃદ્ધ દર્દી અર્ધ-બેભાન હાલતમાં આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની સ્થિતિ અત્યંત ચિંતાજનક જણાતી હતી:ઓક્સિજન લેવલ: માત્ર ૭૮ ગંભીર બીમારી: એસ્પિરેશન ન્યુમોનીયા (ફેફસામાં બંને બાજુ અતિશય ચેપ) અન્ય તકલીફો: આંચકી આવવી, અનિયમિત ધબકારા, લોહીની ઉલટી અને લોહીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું હોવું.દર્દીનું GCS (ભાનની સ્થિતિ) લેવલ ખૂબ ઓછું હોવાથી અને શ્વસનક્રિયા ગંભીર હોવાથી તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ૮૩ વર્ષની ઉંમર અને એકસાથે આટલી બધી જીવલેણ બીમારીઓ હોવા છતાં, ડો. સત્યજીતસિંહ જાડેજાના ઊંડાણપૂર્વકના નિદાન અને સચોટ સારવારને લીધે દર્દીની સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હતો.માત્ર એક જ અઠવાડિયામાં દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ડો. સત્યજીતસિંહ જાડેજાના નેતૃત્વમાં આયુષ હોસ્પિટલ જટિલ કેસોમાં સતત સફળતા મેળવી રહી છે. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે આધુનિક સારવાર અને સાચું નિદાન ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં પણ જીવ બચાવી શકે છે. આજે આયુષ હોસ્પિટલ સમગ્ર મોરબી અને કચ્છ જિલ્લાના દર્દીઓ માટે એક ‘વિશ્વાસનું કેન્દ્ર’ અને ‘આશાનું કિરણ’ બની છે.










