MORBI:મોરબીની વિશ્વકર્મા સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરે જયા પાર્વતી વ્રત નિમિત્તે નાની બાળાઓની ભક્તિમય ભીડ ઉમટી

MORBI:મોરબીની વિશ્વકર્મા સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરે જયા પાર્વતી વ્રત નિમિત્તે નાની બાળાઓની ભક્તિમય ભીડ ઉમટી
પવિત્ર જયા પાર્વતી વ્રત પર્વ નિમિત્તે મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ પ્રસિદ્ધ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે. આ વ્રત અંતર્ગત મોટી સંખ્યામાં નાની-નાની બાળાઓ અને કુમારિકાઓ દાદાના દર્શને તથા પૂજન-અર્ચન માટે ઉમટી પડી હતી.
દાદાના દરબારમાં પહોંચેલી બાળાઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરીને દેવાધિદેવ મહાદેવ પાસે સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ ભવિષ્ય માટે આશીર્વાદ યાચ્યા હતા.
પૂજારી મહેશગીરીજી દ્વારા કરાવાયું શાસ્ત્રોક્ત પૂજન
મંદિરના પવિત્ર વાતાવરણમાં પૂજારી મહેશગીરીજી દ્વારા સ્વહસ્તે તમામ બાળાઓને વ્રતનું વિધિવત પૂજન કરાવવામાં આવ્યું હતું. પૂજન સંપન્ન થયા બાદ મહાદેવની ભાવપૂર્વક આરતી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
આરતી બાદ તમામ બાળાઓને પવિત્ર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. પ્રસાદ ગ્રહણ કરીને આનંદ અને ધાર્મિક ઉત્સાહ સાથે બાળાઓ પોતાના ઘરે રવાના થઈ હતી. જયા પાર્વતીના આ પવિત્ર વ્રતને લીધે વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અનોખો ધાર્મિક ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે.









