મોરબીમાં હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા આવતીકાલે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન
મોરબીમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીનાં સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N.I.M.A. મોરબી દ્રારા આવતીકાલે “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. 0 થી 12 વર્ષના બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે ઉપયોગી એવા સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવા માટે આવતીકાલે તા.1 સપ્ટેમ્બરને સોમવારે સવારે 9 થી સાંજે 6:30 સુધી મહેશ્વરી હોસ્પિટલ, રાજા મેડીકલની બાજુમાં, સાવસર પ્લોટ મેઈન રોડ ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે. જેમાં નિષ્ણાંત તબીબ ડો. હાર્દિક જેસ્વાણી સેવા આપશે. નોંધનીય છે કે જન્મથી 12 વર્ષ સુધીનાં બાળકને આ ટીપા પીવડાવી શકાય છે. સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N.I.M.A. મોરબી દ્રારા આગામી સમયમાં પણ આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવું હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.