DAHODGUJARATJHALOD

ઝાલોદની ઈદગાહમાં સામૂહિક ઈદ ઉલ-ફિત્રની નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ ની શુભેચ્છા પાઠવી  

તા.૩૧.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદની ઈદગાહમાં સામૂહિક ઈદ ઉલ-ફિત્રની નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ ની શુભેચ્છા પાઠવી

પવિત્ર રમજાન માસના અંતે ચાંદ જોઈને એ ઈદુલ ફિત્ર મનાવવામાં આવે છે ઝાલોદ નગરમાં સવારે સાત વાગ્યાના બધા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈને બજાર તરફથી મુસલમાન ઇદગાહ તરફ જઈ અને ઇદગાહમાં ઈદની નમાજ અદા કરતા હોય છે ઇદની નમાજ પછી કબ્રસ્તાનમાં પોતાના પરિવારના મરહુમો યાદ કરીને ફાતિયા દુરુદ પડી ને પાછા પોતાના ઘર તરફ આવતા હોય છે અને એક બીજા ને ઈદ ની શુભેચ્છા પાઠવતા હોય છે અને બાળકોને ઈદી સ્વરૂપે પૈસા આપતા હોય છે.ઇસ્લામ ધર્મનો એક પવિત્ર તહેવાર છે રમજાન માસના અંતે ચાંદ જોઈને આ તહેવાર મનાવવામાં આવ્યો આવે છે એટલા માટે આ દુનિયાના અલગ અલગ દેશમાં ઇદની તારીખ અલગ અલગ પડે છે કેટલીક જગ્યાએ આજે ઈદ મનામા આવશે ઇસ્લામ ધર્મના પર્વને મીઠી ઇદના નામથી પણ ઓળખવામાં આવે છે મીઠી ઈદ એટલા માટે કારણ કે આ ઈદમાં ખાસ પ્રકારના મીઠા પકવાન બનાવવામાં આવે છે ઈદના તહેવાર ખુશીઓનો તહેવાર છે હકીકતમાં આ કરવા પહેલાં રમઝાનના ધાર્મિક મહિના ઈસ્લામિક ધર્મને માનતા લોકો એક મહિના સુધી રોજા રાખે છે રમજાન મહિનામાં મુસલમાનોનું રોજા રાખવું જરૂરી હોય છે આ પર્વત ત્યાગ અને પોતાના ધર્મ પ્રત્યે સમર્પણ દર્શાવે છે આ પર્વ દર્શાવે છે કે માનવતા માટે પોતાના શ્રેષ્ઠ ઉત્સાહનો ત્યાગ કરવો જોઈએ જેનાથી એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકે છે

Back to top button
error: Content is protected !!