તા. ૦૮. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વવારા દાહોદમાં તિરંગા યાત્રા નીકળી.કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત
કેન્દ્ર સરકાર દ્વારા તા. ૮ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યુ છે જેમાં આજરોજ ગુરુવાર 3 કલ્લાકે દાહોદ બસ ડેપોથી ભરપોડા. સરસ્વતી સર્કલ.વિશ્રામ ગૃહ.બાબા સાહેબ આંબેડકર ચોકથી યાદગાર ચોક થઈ દાહોદના સિદ્ધ રાજ જયસિંગં છાબ તળાવ ખાતે રાષ્ટગાન ગાઈ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યુ હતું.યાત્રામાં કૃષિ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ.દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી. ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને દાહોદ જિલ્લા કલેકટર.દાહોદ જિલ્લા વિકાસ અધિકારી.જિલ્લા પોલીસં અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા તેમજ આં તિરંગા યાત્રામાં સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવ્યા હતા