નાંદોદ તાલુકાના જેસલપોર ગામે સરગવાની સિંગ પાડવા ઝાડ ઉપર ચડેલા ઈસમને કરંટ લાગતા મોત
રાજપીપળા: જુનેદ ખત્રી
પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર રડવીયાભાઇ જુગલાભાઇ વળવી ઉ.વ.આ.૬૦ રહે, જાગઠી ગામ તા.અક્કલકવા નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ માંજે જેસલપોર ગામની સીમમાં સુઢીયુ કાપવા મંજુરી કામે આવેલ હતા જ્યાં સરગવાના ઝાડ ઉપર સરગવાની સીંગ પાડવા માટે ઝાડ ઉપર ચઢતા ઝાડ ઉપરથી પસાર પતા વીજ વાયરનો કરંટ લાગતા તેઓનું મોત નીપજ્યું છે.રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે