GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:જેએનવી સેના દ્વારા સર્વિકલ કૅન્સર અંગે જાગૃતિ લાવવા અંગે જવાહર નવોદય વિદ્યાલયમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

RAJKOT:જેએનવી સેના દ્વારા સર્વિકલ કૅન્સર અંગે જાગૃતિ લાવવા અંગે રાજકોટ જવાહર નવોદય વિદ્યાલયમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

 

 

જેએનવી સેના દ્વારા રાજકોટમાં સર્વિકલ કૅન્સર અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ જવાહર નવોદય વિદ્યાલયમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં JNV ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ,10 વર્ષથી ઉપરની વયની વિદ્યાર્થીનીઓ, તેમજ અન્ય લોકો કુલ મળીને 250 જેટલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્કશોપમાં ડો. પ્રિતેશ રાઠોડ, જે જેએનવીના સિનિયર અલુમની છે, ડો. કેતન દેસાઈ, ડૉ. કૃપાલી બેન, અને ડો. સંદીપ સિંઘ, જે જેએનવીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તે બધા જ સાથે જોડાયા અને સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર વિશે મહત્વની માહિતી પૂરી પાડી અને અને વેક્સિન લેવા અંગેનું માર્ગદર્શન આપ્યું .

આ ઉપરાંત, વર્કશોપમાં પીડીયુ નર્સિંગ કોલેજના સ્ટાફે હાજરી આપી અને છોકરીઓને મૂંઝવતા અંગત પ્રશ્નો વિશે જાણકારી પૂરી પડી હતી.

વર્કશોપમાં સર્વિકલ કૅન્સરની પહેચાન, તેનું નિદાન, અને પ્રતિકારક ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે જ, આ જીવલેણ બીમારીથી બચવા માટે જરૂરી ચકાસણીઓ અને રસીકરણની મહત્વતાની ચર્ચા કરવામાં આવી.

આ વર્કશોપની સફળતામાં તમામ જેએનવી અલુમની અને અન્ય ઉપસ્થિતોના મહત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું છે.

વર્કશોપના આયોજન અને સફળતાનો શ્રેય જેએનવી સેનાના સભ્યોને જાય છે તથા આપ સર્વે ભવિષ્યમાં સમાજ કલ્યાણના કાર્ય કરો અને આગળ વધો તેવી શુભેચ્છા પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!