
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા૦૨ માર્ચ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત વિદ્યાલય શિક્ષા ની રાજ્ય કારોબારી બેઠક શ્રી કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ, જિ. કર્ણાવતી અમદાવાદ ખાતે ફાગણ સુદ તેરસ, વિક્રમ સંવત 2082 તારીખ 1 માર્ચ, 2026 રવિવારને યોજવામાં આવી હતી.આ રાજ્ય કારોબારીનું ઉદ્ઘાટન અખિલ ભારતીય અતિરેક મહામંત્રી મોહનજી પુરોહિત, પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સરસ્વતી વંદના દ્વારા માં સરસ્વતીની આરાધના કરવામાં આવી હતી.કચ્છ જિલ્લા વતિ સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા,સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા,મહામંત્રી મયુરભાઈ પટેલ, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોજ,સહ સંગઠન મંત્રી ભાઈલાલ જોશી,કાર્યાલય મંત્રી વશરામભાઈ આહિર,ઉચ્ચ માધ્યમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા,ઉચ્ચ શિક્ષા સંવર્ગ માંથી કલ્પેશભાઈ સોરઠીયા,મનોજભાઈ છાયા,ગોવિદભાઈ ખેર સહિતના હોદ્દેદારો સહભાગી થયા હતા.પ્રથમ સત્રમાં મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા ગત રાજ્ય કારોબારીના પ્રોસિડીંગનું વાચન કરવામાં આવ્યું જેને સર્વ સહમતિથી અનુમોદન આપવામાં આવ્યું ત્યારબાદ પ્રાંત અતિરેક મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા કર્તવ્ય બોધ અંતગર્ત સમગ્ર રાજ્યમાં 33 જિલ્લા અને 6 મહાનગર માં 759 કાર્યકમ માં 25,851 જેટલા શિક્ષક મિત્રો જોડાયા હતા જે બાબતનું વૃત આપવામાં આવ્યું. પ્રથમ સત્રમાં અખિલ ભારતીય અતિરેક મહામંત્રી મોહનજી પુરોહિત દ્વારા સંગઠન વિસ્તાર, મારી શાળા મારું તીર્થ, મંડળ રચના, સદસ્યતા અભિયાન, અભ્યાસ વર્ગે, પ્રવાસ વિશે, શ્રેષ્ઠ કાર્યકર્તા નિર્માણ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકના દ્વિતીય સત્રમાં રમેશભાઈ ચોધરી દ્વારા આગામી સમયમાં સંગઠન સદસ્યતા પર્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પલ્લવીબેન પટેલ દ્વારા “માતૃવંદના કાર્યક્રમ” રાણી અબ્બકા ના જીવન ચરિત્ર વિશે ઉજવણી કરવા બાબતે તેમજ ભીખાભાઈ પટેલ દ્વારા સંગઠન વિસ્તરણ યોજના અને સંઘ વિચારધારા સાથે કર્તવ્ય પાલન વિશે તથા વર્ષ પ્રતિપદા દિવસની ઉજવણી વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તૃતીય સત્રમાં સંભાગ મુજબ અલગ અલગ બેઠકો કરી રાજ્યના શિક્ષક મિત્રોના પ્રશ્નો અને રજૂઆત જેવી કે નિવૃત શિક્ષક મિત્રોના NPS માંથી GPF ખાતા સત્વરે ખુલે, 2004 પછી નોકરીમાં લાગેલ શિક્ષકોના જૂની પેન્શન યોજના અમલ બાબતે, જિલ્લા ફેર બદલી કેમ્પ, સ્પર્ધાત્મક પરિક્ષામાં શિક્ષક મિત્રોને તક આપવી, HTAT મિત્રોના બદલી કેમ્પ,CRC BRC મિત્રોના પ્રશ્નો, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પ્રશ્નો, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક મિત્રોના અલગ પગારધોરણનો પ્રશ્ન, વિદ્યાસહાયક મિત્રોના પ્રશ્નો, આચાર્ય ચાર્જ બાબત ના પ્રશ્ન, મહાનગર પાલિકાના પ્રશ્નો, ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક મિત્રોના પ્રશ્નો, પુરા પગારમાં આવેલ શિક્ષકોના CPF ખાતા સત્વરે ખોલવા, સ્વચ્છતા ગ્રાંટમાં વધારો કરવા, પુસ્તકો તમામ શાળા શરૂ થાય ત્યારે જ આપવામાં આવે જેવા પ્રશ્નોની ચર્ચા કરી જે સંદર્ભે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ દ્વારા તમામ પ્રશ્નોનું સંકલન કરી આ પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવા પ્રાંત ટીમ દ્વારા ખાત્રી આપી સંગઠન જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે રજૂઆત , ચર્ચા , પુનઃ રજૂઆત અને જરૂર પડે કારોબારી નક્કી કરી રણનીતિ બનાવી પ્રશ્નો ઉકેલાવવા ની કટિબદ્ધતા બતાવી છે .આ બેઠકના અંતિમ સત્રમાં અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી અને શ્રી કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા તા. દસક્રોઈ જિ.કર્ણાવતી અમદાવાદ ના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અંતિમ સત્રમાં શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો. મિતેશભાઈ ભટ્ટ દ્વારા અધ્યક્ષીય સંબોધન સ્વરૂપે NEP 2020 ના અમલીકરણ બાબતે કરેલ સંગઠનના સૂચનો વિષયે, સંગઠન દ્વારા થયેલ રજૂઆત અને મળેલ સફળતા બાબતો, જૂની પેન્શન યોજના દરેક ને અમલમાં આપવી, શિક્ષક મિત્રોને અન્ય બિન શૈક્ષણિક કામગીરી થી દૂર રાખવા અંગે સરકાર ઠરાવ કરે, રાજ્ય કક્ષાના સંમેલન અંગે, TET પરીક્ષા રદ્દ કરવા અંગે, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક મિત્રોના પ્રશ્નો , htat મિત્રોના પ્રશ્નો બાબતે સરકારમાં પત્ર અને રૂબરૂ રજુઆત કરી યોગ્ય કરવામાં આવશે.મહેન્દ્ર કપૂરજી દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠનની સ્થાપના અને આજદિન સુધી થયેલ કામગીરી અને આગામી સમયમાં સંગઠનના લક્ષ્યાંક વિશે વિગતે મહાતગાર કરવામાં આવ્યા હતા.બેઠકના અંત ભાગમાં કલ્યાણ મંત્ર દ્વારા બેઠકનું સમાપન કરવામાં આવ્યું તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણકુમાર શાહની યાદીમાં જણાવાયું હતું.






