MORBI:મોરબીમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીના પુતળા નું દહન કરી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
MORBI:મોરબીમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીના પુતળા નું દહન કરી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબીમા જમ્મુ કાશ્મીરના પહેલગામમા થયેલ આતંકવાદી હુમલા ને લઈને મોરબી જિલ્લા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બાઈક રેલી કાઢી શહેર નાં જુના બસ સ્ટેન્ડ ગેબનશાહ પીર ની દરગાહ પાસે આતંકવાદીના પૂતળા દહન કરી પોસ્ટ સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ મચ્છી પીઠ ઇદગાહ ખાતેથી બાઈક રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં આતંકવાદીને શખ્ત શબ્દોમા વખોડી કાઢી જમ્મુ કાશ્મીરના પહેલગામમા થયેલ નિર્દોષ લોકો ની નિર્દયતાપૂર્વક હત્યાની ધટનાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં આતંકી હુમલો કરનાર માનવતાના દુશ્મન એવાં આતંકીઓને પકડી ને સખતમા સખ્ત સજા આપવા માગ કરી હતી તેમજ રેલીમા મુસ્લિમ સમાજનાં આગેવાનો અને સમસ્ત સુની મુસ્લિમ સમાજના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરના રાજમાર્ગો પર મૌન બાઈક રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું