MORBI :કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ પાંચ ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો!
MORBI :કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ પાંચ ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
આજ રોજ તારીખ ૧-૫-૨૦૨૫ ને ગુરુવારના રોજ ધોરણ ૧ થી ૫ વાળી શાળા શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ પાંચ ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ પાંચ ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા.ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી એ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળીને બાળકોની સાથે વાલીઓ પણ ભાવવિભોર બની ગયા હતા. શાળાના મદદનીશ શિક્ષિકા બેન પૂજાબેન ચાંચડિયા દ્વારા ધોરણ પાંચ ના બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે વર્ષ ૨૦૨૪ ની ધોરણ પાંચ માં આવતી CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) માં ધોરણ પાંચ નાં તમામ બાળકો પાસ થઈ મેરિટમાં આવ્યા હોઈ શાળા પરિવાર વતી તમામ બાળકોને ફોલ્ડર ફાઇલ સાથે પેન ભેટ સ્વરૂપે આપ્યા હતા. કાર્યક્રમના અંતમાં બાળકોને પફનો નાસ્તો કરાવ્યો હતો તથા વાલી રાજેશભાઈ કલોલા દ્વારા હાજર તમામ ને ઠંડુ પીવડાવ્યું હતું.
આ તકે કાર્યક્રમને સફળ બનાવનાર SMC અધ્યક્ષ
કાંતિલાલ આદ્રોજા તથા તમામ SMCસભ્યો, પધારેલ વાલીગણ માતા બહેનોનો શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી તથા શિક્ષિકા બેન પૂજાબેન ચાંચડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.