ખેડૂતના ખેતરમાં પ્રાઇવેટ કંપની દ્વારા પ્રોજેક્ટ પ્લાન્ટ અંતર્ગત ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવી રહી છે જેનું સરકારી ધારા ધોરણ મુજબ વળતર આપવા માંગ

ગુજરાત પ્રદેશ રાજ્ય શાસન તથા કેન્દ્રીય શાસન તથા મોરબી જિલ્લા વહીવટી પ્રશાસન ના વરિષ્ઠ અધિકારી ને એક આવેદન પત્ર પાઠવવામાં આવે જેમાં માંગ કરવામાં આવી કે સરકારી ધારા ધોરણ પ્રમાણે ભારતીય ખેડૂતના ખેતરમાં પ્રાઇવેટ ડોમેસ્ટિક કંપની કે મલ્ટીનેશનલ પ્રાઇવેટ કંપની કે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ કંપની દ્વારા પ્રોજેક્ટ પ્લાન્ટ અંતર્ગત ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે યોગ્ય પર્યાપ્ત રાહત સંતોષ કિસાન વળતર આપવામાં આવે અથવા પોસીબીલીટી પોઝિટિવ પ્રોજેક્ટ એમઓયુ ફાર્મર લોંગ લીઝ મંથલી રેન્ટની આપવામાં આવે અથવા આંશિક ખેતરમાં સંપૂર્ણ ખેતર વીજ પોલના ઔદ્યોગિક અંડર હોય તો તે ખેડૂતને અન્ય યથા યોગ્ય આવશ્યકતા અનુસાર રાહત જીવનનિર્વા રોજગારી ખેતી પાક માટે થઈને સરકારી ફાર્મ ભારતીય ખેડૂત લોકહિત હેતુસર ફાળવવામાં આવે તથા ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો કરવામાં આવે અથવા શક્ય બને ત્યાં સુધી ખરાબાની જમીન પર ટ્રાન્સમિશનની લાઇન રાખવામાં આવે એ અનુસાર, ટ્રાન્સમિશન લાઈનના રૂટ નક્કી કરતાં પહેલાં કેન્દ્રશાસન તથા રાજ્ય શાસન તથા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવે. પરિણામે, જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં તકનીકી ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય એની પણ તકેદારી રાખવા આવે એવી ભારતીય લોક ખેડૂત ગ્રામ્ય હિત હેતુસર ગણ વરિષ્ઠ પદાધિકારી તથા અધિકારી શ્રી કેન્દ્ર શાસન તથા રાજ્ય શાસન તથા પ્રસાશન ને અરજ કરવામાં આવી.







