GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં કામ કરતી વખતે પતરા પરથી નિચે પડકાતા બે યુવકનાં મોત નિપજ્યા

MORBI:મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં કામ કરતી વખતે પતરા પરથી નિચે પડકાતા બે યુવકનાં મોત નિપજ્યા
મોરબીના રફાળેશ્વર GIDC માં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા.
મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેવાસી કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (ઉ.વ.૪૦) અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા (ઉ.વ.૪૫) એમ બંને આધેડ રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીઓ ટેક કલર કંપની કારખાનામાં પતરાના છાપરા પર કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર પતરા પરથી નીચે પડી જતા બંનેના મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









