WAKANER:વાંકાનેર વિસ્તારના મતદાતાઓને જાગૃત કરાયા
બી.એલ.ઓ.શ્રીઓ દ્વારા આમંત્રણ પત્રિકાઓ આપી-બેઠક યોજી મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા
રાજકોટ તા. ૧૮ એપ્રિલ – લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકશાહીના મહાપર્વમા રાજકોટ જિલ્લાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અને ઘરે-ઘરે રૂબરૂ મુલાકાત લઈ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના મતદારોને સ્વીપ દ્વારા ચૂંટણીમાં મતદાનમાં સહભાગી બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ અનુસંધાને ૭૧-રાજકોટ ગ્રામ્ય તથા ૬૭- વાંકાનેર વિસ્તારના પુરુષ અને સ્ત્રી મતદારોના મતદાનની ટકાવારીમાં ૧૦%થી વધુ તફાવત ધરાવતા ગામમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં ભાગ નં. ૨૧૨ ધાંધિયા, ખોખડદડ, ભાયાસર, રોણકી, જાલીયા, સૂર્ય રામપરા, પીપળીયા, કાળીપાટ અને બેડી ગામોમાં આંગણવાડી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
બી.એલ.ઓ.શ્રીઓ મારફતે વિસ્તારનાં મતદારોને મતદાર જાગૃતિના અંગેના પેમ્પલેટ વિતરણ કરી મતદારોને જાગૃત કરી,મતદાનના મહત્વ વિષે સમજણ આપી હતી.મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ ઘરના તમામ પાત્રતા ધરાવતા સભ્યો મતદાન કરે તે અંગે બી.એલ.ઓ.શ્રીઓ દ્રારા લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મહિલા મતદાન વધારવા માટે મહિલાઓ સાથે બેઠકનું આયોજન કરી મહિલાઓને મતદાન માટે અપીલ કરવામાં આવેલ હતી. કાર્યક્રમમા ગ્રામજનોએ મતદાન કરવાના શપથ લીધા હતા, તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.