આદિવાસી સમાજ અને તુષાર ચૌધરી વિરુદ્ધ ટિપ્પણી કરાતા ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂતળા દહન કરાયુ..

વાત્સલ્યમ સમાચાર
ડાંગ
નિર્ભય ન્યુઝના એક પત્રકાર દ્વારા આદિવાસી સમાજ અને તુષાર ચૌધરીની લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતા ડાંગ કૉંગ્રેસ સમિતિ દ્વારા આહવા ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું હતુ. તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મોતીલાલ સોમાભાઈ ચૌધરી દ્વારા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી.તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મોતીલાલ સોમાભાઈ ચૌધરીની રજૂઆતમાં જણાવ્યા અનુસાર,આદિવાસી સમાજનાં લોક લાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઇ ચૌધરી નાં સુપુત્ર શ્રી ડો. તુષાર ચૌધરી કે જેઓ આદિવાસી સમાજનો પ્રતિનિધિત્વ કરે છે. અને આજ સુધી કરતા રહેલ છે.અને જેઓ આદિવાસી હોવાનું ક્યારે પણ છુપાવતા નથી.અને આદિવાસી તરીકેનો સ્વીકાર કરે છે. અને તેઓની પાસે મહેનત, મજુરી તથા ડૉકટરના નાતે કે, તેમના પરિવારીક ખાન-દાનથી જે પણ ધન મળેલ હતે કે મેળવેલ હશે. જેના ઉપયોગમાં તેઓ એજ્યુકેટ વ્યક્તિના સૌભાવમાં રહેતા હોય એની સામે આદિવાસીને કે, આદિવાસી સમાજને કોઈ વાંધો નથી. જેમ કે જેઓ આદિવાસી સમાજના સુખ દુખમાં કે સરકારમાં જે કંઈ રજુઆત કરવાની થાય તેવા સમયે તેઓ આજની તારીખે પણ આદિવાસી સમાજને મદદરૂપ થાય છે. અને તેની સામે ઉગલી ચીંધીને સંપૂર્ણ આદિવાસી સમાજનું અપમાન થાય એવી સ્પીચ આપનાર પત્રકાર જગદીશ મહેતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ ધરપકડ કરી આદિવાસી સમાજની માફી માંગે એવી આદિવાસી સમાજની માંગણી છે. અને તેમ કરવામાં નહી આવે તો સંપૂર્ણ આદિવાસી સમાજના સંગઠનો એકત્રીત કરી પોતાની રીતે એની સામે કંઇક પણ કરી શકીએ છીએ. તેવા સમયે આદિવાસી સમાજ જવાબદાર રહેશે નહી. પત્રકારે જે કોઈના હાથાબનીને જે સ્પીચ આપેલ છે.જેમાં શબ્દ સહ માફી માંગે જે સ્પીચ અત્રે તેમના જ વ્યક્તવ્યમાં ડૉ. તુષાર ચૌધરીને હાથી બનાવી આદિવાસી સમાજને ગંદી-ગંદી ગાળો સ્વરૂપે આપેલી સ્પીચ એનાજ શબ્દોમાં તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ મોબાઇલ ઉપર પ્રસારીત થયેલ અને સંપૂર્ણ આદિવાસી સમાજનું અપમાન થયેલ છે. જેની સામે તાત્કાલીક એફ.આઇ.આર. કરી ધરપકડ કરવા માંગ કરવામાં આવી છે. અને આ વક્તવ્ય કોઈના કહેવાથી કે, કોઈ વ્યુહાત્મક બાબતના કારણે કોઈ ગોઠવણ હોય અને કોઈના હાથા બનીને વ્યક્તવ્ય આપ્યુ હશે તેવું પણ આદિવાસી સમાજને લાગે છે. તો આ બાબત પણ ચકાસણી પાત્ર છે. અને તેઓને પણ સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.તેમજ આ અંગે ડાંગ કૉંગ્રેસ સમિતિ દ્વારા આહવા ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું હતુ..




