MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું સન્માન

WAKANER:વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું સન્માન

 

 

 

વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજનું ગૌરવ ઝાપડા રોહિતભાઈ પાંચાભાઈ આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત આવતા સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો દ્વારા તેમના સ્વાગત માટે સામૈયાનું ભવ્ય આયોજન કરી સ્વાગત સત્કાર કાર્યક્રમ યોજાયો હતો.


જેમાં ખાસ મહેમાન તરીકે પાપનાશણા ઠાકર મંદિર તરણેતરના મહંત પૂજ્ય રોહિતપુરીબાપુ અને તાલુકા પંચાયતના ચેરમેન જીજ્ઞાસાબેન મેરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ગામના સરપંચ રાજુભાઈ મેર, માજીસરપંચ ભગવાનજીભાઈ મેર, ઉપસરપંચ નારણભાઈ ઝાપડા , ખેતાભાઈ ઝાપડા વગેર આગેવાનો સહિત સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો હાજર રહ્યા હતા.
આ તકે જીજ્ઞાસાબેન મેરે આ અગ્નિવીર યોજના વિશે ગામ લોકોને માહિતગાર કરતા કહ્યું કે આ યોજના દેશના યુવાનોને સીધો જ ફાયદો કરે છે કારણ કે, જો તેઓ સાડા 17 થી 21 વર્ષની વય વચ્ચે આર્મીમાં જોડાય છે અને અગ્નિવીર બને છે, તો તેમને સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે, તેની સાથે નિયમિત આર્મી ઓફિસર જેવો વ્યવહાર કરવામાં આવે છે એટલું જ નહીં, જ્યારે તેઓ નિવૃત્તિ પછી સિવિલ સર્વિસ અથવા કોઈપણ સરકારી નોકરી માટે અરજી કરશે ત્યારે તેમને પ્રથમ પસંદગી મળશે. તેમનો અલગ ક્વોટા હોય છે જેમાંથી તેમને સીધો લાભ મળશે. 12મું પાસ આ માટે અરજી કરી શકે છે. સાથે કહ્યું કે, સેના બેચના વધુમાં વધુ 25 ટકા અગ્નિવીરોને કાયમી સેવા પણ આપે છે, તમામ અગ્નિવીરોને રૂ. 48 લાખનું નોન-પ્રીમિયમ વીમા કવર મળે છે, ડ્યુટી દરમિયાન મૃત્યુના કિસ્સામાં, 44 લાખ રૂપિયાની વધારાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે, તાલીમ સમયગાળા સહિત કુલ ચાર વર્ષની રોજગારી હોય છે. પહેલા વર્ષમાં અગ્નિશામકોને 21000 રૂપિયાનો ઇન હેન્ડ પગાર મળે છે, અગ્નિશામકોને બીજા વર્ષે 23,000 રૂપિયા, ત્રીજા વર્ષે 25,000 રૂપિયા અને ચોથા વર્ષે 27,000 રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત, 30 દિવસની વાર્ષિક રજા પણ છે અને ક્ષેત્ર ભથ્થું પણ મળે છે જેમ કે રાશન, કપડાં, બધું. નિવૃત્તિ પછી, તેઓને ‘અગ્નવીર કૌશલ્ય પ્રમાણપત્ર’ પણ મળે છે જે ભવિષ્યમાં અન્ય નોકરીઓમાં પસંદગી મેળવવામાં તેમને પ્રાથમિકતા આપશે.

Back to top button
error: Content is protected !!