GUJARATJUNAGADHKESHOD

કેશોદ ખાતે નવમા શિવધારા વાર્ષિક મહોત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી

કેશોદ ખાતે નવમા શિવધારા વાર્ષિક મહોત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી

કેશોદ શહેરના અમૃત નગર વિસ્તારમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટ પાસે બે દિવસીય શિવધારા વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી બોમ્બે પ્રોવિઝન વાળા ભગવાનજીભાઈ આહરા, જયંતીભાઈ આહરા , હરેશ આહરા તથા શિવધારા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું શિવધારા પરિવાર દ્વારા 9મો બે દિવસીય વાર્ષિક શિવધારા મહોત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના અમરાવતીનાં શિવધારા પરિવારના સદગુરુ ડૉ સંતોષકુમાર પધારેલા હતા તેમનું ભવ્ય સ્વાગત આહરા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમના પ્રવચનમાં તેમણે જણાવે કે અત્યારના યુગમાં પ્રવર્તમાન સમસ્યાઓ દૂર કરવા સત્સંગ સાથે ગૃહસ્થ જીવન, વ્યસન મુક્તિ ,પત્રકારોના પોઝિટિવ સમાચાર ખૂબ જરૂરી છે. ધર્મ, શાસ્ત્રો, સંસ્કૃતિ ,ગુરુ મહિમા, વ્યસન મુક્તિ ,પ્રવર્તમાન કુંભ મેળાનું મહત્વ તથા દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવના ને ખુબ મહત્વ આપેલ હતું સત્સંગ સભા, મહા આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધૂન ભજન, ધ્યાન ,જ્ઞાનનુ મહત્વ વગેરે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જલારામ મંદિરનાં રમેશભાઈ, દિનેશ કાનાબાર ભારત વિકાસ પરિષદ નાં પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, ડો સ્નેહલ તન્ના આર પી સોલંકી, નિશાંત પુરોહીત,જેડી જયદીપ,આઝાદ ક્લબનાં હમીરસિંહ ,સદભાવના અન્નક્ષેત્ર રોટરી ક્લબ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા ભક્તોએ શિવધારા મહોત્સવનો લાભ લીધો હતો કાર્યક્રમના અંતે ભક્તો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!