આણંદ ખેડૂત ને લાલ કિલ્લા ઉપર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં માટે આમંત્રણ

આણંદ ખેડૂત ને લાલ કિલ્લા ઉપર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં માટે આમંત્રણ
તાહિર મેમણ – આણંદ – 13/08/2025 – આણંદ જિલ્લાના કુંજરાવ ગામના પ્રગતિશીલ ખેડૂત દીપેનકુમાર મુકુંદભાઈ શાહ કૃષિ ક્ષેત્રે સરગવાની ખેતીમાં પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન કરી તેને ખેત ઉદ્યોગ તરીકે વિકસાવેલ છે. તેમના આ યોગદાન આણંદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કક્ષાએ, રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ અને ભારત સરકાર દ્વારા દેશ કક્ષાએ તેમનું વિવિધ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું છે.
દીપેન કુમાર શાહ ના પ્રગતિશીલ ખેડૂત તરીકેના યોગદાન બદલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ભારત સરકારનો રાષ્ટ્રીય કક્ષાનો શ્રી જગજીવન રામ અભિનવ કિસાન પુરસ્કાર/ જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી શ્રી ના હસ્તે આપવામાં આવ્યો હતો જેમાં રૂપિયા એક લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આમ, કુંજરાવ ગામના દીપેનકુમાર શાહને કૃષિ ક્ષેત્રે સરગવાની ખેતીમાં પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન કરીને તેને ખેત ઉદ્યોગ તરીકે વિસ્કાવવા બદલ પ્રગતિશીલ ખેડૂત તરીકે જિલ્લાકક્ષા /રાજ્યકક્ષા અને નેશનલ કક્ષાના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
દેશ કક્ષાએ પ્રગતિશીલ ખેડૂતની નોંધ લઈને આગામી ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહમાં આણંદ જિલ્લાના કુંજરાવ ગામના દીપેનકુમાર શાહને હાજર રહેવા અને આ કાર્યક્રમમાં સહભાગી બનવા ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




