શાળામાં કરેલા ઈનોવેટીવ કાર્ય બદલ સુરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયકુમાર રાવળને વિધોત્તેજક સન્માન
શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે યોજાયો. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની સુરપુરા પ્રા. શાળાના શિક્ષક વિજયકુમાર રાવળનું વિજાપુરના ધારાસભ્ય ડૉ.સી.જે ચાવડા હસ્તે વિધોત્તેજક સન્માન મેળવી શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પુલકિતભાઈ જોશીની પ્રેરણાથી યોજાયો. શિક્ષણવિદશ્રી ગજેન્દ્રકુમાર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ.સી.જે.ચાવડા – સાહેબશ્રી-ધારાસભ્યશ્રી વિજાપુર, રીટાબેન પટેલ – ધારાસભ્યશ્રી ગાંધીનગર, ડૉ. સુખાજી ઠાકોર – ધારાસભ્યશ્રી બેચરાજી, મનુભાઈ ચોકસી – પૂર્વ ચેરમેનશ્રી જિલ્લા શિક્ષણ સમિતિ,મહેસાણા, એમ.પી. મહેતા-સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન, શ્રી એમ.કે રાવલ-નિયામકશ્રી, GSEB અને GIET ગાંધીનગર, શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકશ્રી ધર્મેશભાઈ પટેલની હાજરી જોવા મળી.