DEDIAPADANARMADA

અંતરિયાળ દેડિયાપાડાની ઇનરેકા સંસ્થામાં ૫૦૦ સાધકોએ કર્યા સામુહિક સૂર્ય નમસ્કાર

અંતરિયાળ દેડિયાપાડાની ઇનરેકા સંસ્થામાં ૫૦૦ સાધકોએ કર્યા સામુહિક સૂર્ય નમસ્કાર

તાહિર મેમણ – 01/01/2024 – ડેડીયાપાડા સોમવાર :- શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ સમાન સૂર્ય નમસ્કારને વૈશ્વિક સ્વીકૃતિ મળે ઉપરાંત નાગરિકો તેને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે એ માટે નર્મદા જિલ્લાના ત્રણ સ્થળોએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામુહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેડિયાપાડાના ઇનરેકા સંસ્થા ખાતે ૫૦૦થી પણ વધુ સાધકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

 

નર્મદા જિલ્લા વહીવટી તંત્રના નવા અંગ્રેજી વર્ષનો પ્રારંભ યોગિક પ્રવૃત્તિથી થયો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન અને ઇનરેકા સંસ્થા ખાતે સામુહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઇનરેકા સંસ્થા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ મંત્રી મોતિસિંગ વસાવા, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર, પ્રાંત અધિકારી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી બન્યા હતા.

 

સૌએ આસન લીધા બાદ યોગ બોર્ડના સાધકો દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબ ૫૦૦ વ્યક્તિએ સાથે મળી સૂર્ય ભગવાનના સાત મંત્ર અને તેના સંલગ્ન આસનો કરી ૧૧ સેટ કર્યા હતા. આ સામુહિક સૂર્ય નમસ્કારથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી ગઇ હતી.

 

સામુહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમને વિશ્વ વિક્રમ બનાવવા માટે થયેલા પ્રયત્નમાં દેડિયાપાડાથી જોડાયેલા સૌએ રાજ્ય કક્ષાના કાર્યક્રમને નિહાળી મુખ્યમંત્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!