દેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ગામની સીમમાં દીપડો વનવિભાગના કેમેરામાં કેદ થયો, લોકોમાં ભય
થોડા દિવસ અગાઉ કૂતરાઓને શિકાર બનાવ્યા હતા જેથી ગ્રામજનોની માંગને લઈને વનવિભાગે કેમેરા ગોઠવતા દીપડા હોવાની પુષ્ટિ થઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત રાજયની પૂર્વ પટ્ટી વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણી દીપડો દેખાયાના અનેક વિડિયો અને ફોટો વિડિયો વાયરલ થતા રહે છે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ ખોખરાઉંમર ગામની સીમના ખેતરોમાં થોડા દિવસ અગાઉ કોઈ જાનવર એ શિકાર કરેલ હાલતમાં કૂતરાઓના મૃતદેહ મળી આવ્યા હતા ફાડી ખાધેલી હાલતમાં દેખાયા હતા ત્યારે ગામના જાગૃત યુવાનોએ તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક ધોરણે વનવિભાગ એક્શનમાં આવી વન્ય પ્રાણી પકડવા માટેના પાંજરાઓ મૂકવામાં આવ્યા સાથે પુષ્ટિ કરવા માટે નાઈટ વિઝ્યુલ કેમેરા મુકવામાં આવ્યા હતા જે કેમેરામાં એક દિપડો કેમેરામાં કેદ થયો છે, જેના પરથી પુષ્ટિ થઈ શકે છે આ વિસ્તારમાં દિપડો હોવાની લોક ચર્ચા સાચી સાબિત થઈ છે.
ખાસ કરીને દીપડા પાંજરે ના પુરાય ત્યાં સુધી લોકોએ સાવચેતી રાખવી જોઈએ કારણ કે, ઉનાળાનો સમય હોય ત્યારે ઘરની બહાર સુતા લોકો એ સાવચેતી રાખવાની જરૂર છે ખેડૂતોના પશુઓ બહાર બાંધેલા હોય જેની દેખભાળ રાખવું જરૂરી બન્યું છે ડેડીયાપાડા થી ખોખરાઉંમર રોડ પરથી પસાર થતા મુસાફરો અને ચાલતા જતા વિદ્યાર્થીઓ સાવચેતી રાખવી જરૂરી બની છે રખડતા ફરતા દીપડાઓ ના ભયથી સ્થાનિકો ચિંતાતુર બન્યા છે અને ભયનો માહોલ ફેલાયો છે ત્યારે વન વિભાગ સત્વરે દીપડાને પાંજરે પુરે તેવી માંગ ઉઠી છે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.