GUJARATNAVSARI

નવસારીની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝન માટે જીરીયાટીક કેમ્પ યોજાયો :

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

*કેમ્પમાં આયુર્વેદ-૧૬૨ અને હોમિયોપેથિકમાં -૪૩ દર્દીઓએ લાભ લીધો*

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન માટે રાખવામાં આવેલા આ કેમ્પમાં વિનામૂલ્યે ડાયાબીટીસ, બ્લડ પ્રેસરની તપાસ નિદાન સારવાર, કબજીયાત, કપવાત, વાયુના રોગો, સાંધાના રોગો, ચામડીના રોગો, અનિદ્રા, યાદશકિત ઘટવી, નબળાઇ વગેરેની તપાસ કરવામાં  હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પમાં આયુર્વેદ-૧૬૨ અને હોમિયોપેથિક માં -૪૩ દર્દીઓએ લાભ લીધો હતો.  આ કેમ્પમાં  વૈદ્ય પંચકર્મશ્રી ઉર્વિબેન પટેલ, વૈદ્ય અમી દશોંદી, ડો. માધવી ગઢવી તથા યોગ પ્રશિક્ષક શીતલ સોલંકીએ સેવા આપી હતી. સરકારી આયુર્વેદ હોસ્પિટલના તમામ સ્ટાફ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!