NANDODNARMADA

નર્મદા : આંધ્રપ્રદેશનું પ્રતિનિધિમંડળ એકતા નગરના પ્રવાસે , સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આકર્ષણોની મુલાકાત લીધી

નર્મદા : આંધ્રપ્રદેશનું પ્રતિનિધિમંડળ એકતા નગરના પ્રવાસે , સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આકર્ષણોની મુલાકાત લીધી

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

આંધ્રપ્રદેશના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસ મંત્રી ડૉ. પી. નારાયણાએ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલી અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા.

SOU પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્રતાની ગાથા, ગુલામીથી સ્વાતંત્રતા સુધીની સફર, ભારતની એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાન અંગે માહિતગાર થયા હતા.

 

મુલાકાત બાદ મંત્રી ડૉ. પી.નારાયણાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ પહેલાં વર્ષ ૨૦૧૯માં મુલાકાત લીધી હતી. ત્યાર પછી આ જગ્યાનો અદભુત વિકાસ થયો છે. આ પર્યટન સ્થળનૂં વ્યવસ્થાપન પણ અદભુત છે. ટુંકા સમયમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં એકતાનગર વિસ્તારનો વિશ્વ પ્રવાસન ક્ષેત્રે થયેલો વિકાસ અન્યો માટે અનુકરણીય છે. અમારી આ મુલાકાત અદભુત અને અવિસ્મરણીય રહી છે, આ વિસ્તારનો વિકાસ અને તેનું સુચારુ રીતે સંચાલન થઇ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!