NANDODNARMADA

રાજપીપળામાં ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું

રાજપીપળામાં ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજપીપળામાં ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે એટલે અમાસના દિવસે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞ માં બેસનારાઓને હાર્દિક જોષી ઉર્ફે ટપુ મહારાજએ સંકલ્પ લેવડાયા હતા જેમાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ ૨૮ લોકોની આત્મા ને શાંતિ મળે તે બાબતે પણ નવચંડીમાં સંકલ્પ લેવામાં આવ્યા હતા ભારત દેશ આતંકવાદને જડબા તોડ જવાબ આપે તે માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી ચૈત્ર મહિનામાં ચાલતી નર્મદા પરિક્રમામાં ઉત્તરો ઉત્તર વધારો થાય તે બાબતે પણ સંકલ્પ લેવડવામાં આવ્યા હતા નવચંડી યજ્ઞ આમતો દર વર્ષે ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા સનાતન ધર્મ ને લાગતા તમામ કાર્યક્રમો ધામધૂમ થી ઉજવણી કરતા હોય છે ગણેશ યાગ અને મહાશિવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.તે જ પ્રકારે નવચંડી મહાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો આ યજ્ઞમાં ફળિયાના તમામ લોકો એ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!