NANDODNARMADA

રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

 

પોલીસ બેન્ડની સુરાવલી સાથે પ્રારંભાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં રાજપીપલા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા

 

તિરંગા યાત્રામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવતું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ભારત દેશના શૌર્ય, સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે રાજપીપલા નગરપાલિકાના ભિલરાજા સર્કલ ખાતેથી જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી. તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની બેન્ડની ટુકડી, આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટુકડી અને સંપૂર્ણ રેલીમાં “હર હાથ” તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા બેન્ડની સુરાવલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી. પોલીસના વિવિધ શાખાના જવાનો, ડિસ્ટ્રીકટ લેવલ સ્પોટર્સ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.) તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓના “ભારત માતા કી જય” “વંદે માતરમ” જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ રાજપીપલા નગર ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયનું પરંપરાગત નૃત્ય વિવિધતામાં એકતાના દર્શન કરાવી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ તિરંગા યાત્રા સંદર્ભે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, દેશભક્તિને શબ્દોમાં અભિવ્યક્ત કરવી મુશ્કેલ છે. દેશભક્તિ એક લાગણી છે, જેને આજે રાજપીપલાના પ્રત્યેક માનવીએ અનુભવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આશય સાથે યોજાયેલી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા.

ભવ્ય તિંરગા યાત્રામાં આજે નગરજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. દેશભક્તિના નારા સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન ક્રાંતિકારીઓ, સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા હતા.

 

 

ભીલરાજા સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા રાજપીપલા બસ સ્ટેશનથી, સૂર્ય દરવાજા, સફેદ ટાવર થઈને કાલા ઘોડાસર્કલ સર્કલ ખાતેથી સરદાર ટાઉન હોલ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, સૂર્ય દરવાજા, સફેદ ટાવર થઈને આગળ વધી રહેલી તિરંગા યાત્રા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચીને ફુલહાર ચડાવીને દર્શન કર્યા હતા. જે બાદ સરદાર ટાઉન હોલ રાજપીપલા ખાતે યાત્રા ના સમાપન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!