DEDIAPADANARMADA

ચેતર વસાવા ભરૂચ લોકસભા ના આપ ના ઉમેદવાર રહેશે : કેજરીવાલ

તાહિર મેમણ – નેત્રંગ ખાતે ચેતર વસાવા ના સમર્થન માં સભા યોજાય જેમાં દિલ્હી ના મુખ્યમઁત્રી કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમઁત્રી માન પણ હાજર રહ્યા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 30 વર્ષથી ભાજપનું રાજ છે ભાજપે આદિવાસીઓ માચે કંઇ જ કર્યું નથી. ચૈતર વસાવાની પત્નીની ધરપકડ એટલે આદિવાસી સમાજની વહુનું અપમાન એવું કહેવાય અને આ અપમાનનો બદલો આદિવાસી સમાજ જરૂરથી લેશે. ચૈતર વસાવાને મંત્રીપદની ઓફર હતી પણ ચૈતરે સમાજને છોડ્યો નથી. જો ચૈતર વસાવાને મુક્ત કરો નહીં કરવામાં આવે તો ભાજપની ઉંધી ગણતરી શરૂ થઇ જશે.

 

અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું કે, આ લોકોએ ચૈતર વસાવાની ધરપકડ કરી છે પરંતુ હું આજે જાહેરમાં કહું છું કે ચૈતર વસાવા મારો નાનો ભાઈ છે. દુઃખની વધુ વાત તો એ છે કે આ લોકોએ ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેનની પણ ધરપકડ કરી છે. શકુંતલાબેન સમગ્ર આદિવાસી સમાજની વહુ છે, એટલે સમાજનું અપમાન થયું છે. ભાજપના નબળા સત્તાવાળાઓ ડાકુ કરતા પણ ખતરનાક લોકો છે. જેઓએ છેલ્લા 30 વર્ષમાં આદિવાસી પટ્ટી ઉપર કશો જ વિકાસ કર્યો નથી. ચૈતર વસાવાએ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો એટલા માટે આ લોકોએ તેઓની સામે ષડયંત્ર ઊભું કર્યું. ચૈતર વસાવા આદિવાસી નેતા છે. ભાજપને બીક છે કે ચૈતતર વસાવા આગળ વધશે તો આદિવાસી સમાજની વાત કરશે એટલે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!