સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્રારા મિશન વિસ્તાર બેઠક યોજાશે.

તા.13/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર અમૃત મકવાણા આમ આદમી પાર્ટી દ્રારા સમગ્ર ગુજરાતમાં 33 જીલ્લાઓમાં 55 હજાર બૂથ ઉપર સંગઠનનું મજબૂત વિસ્તરણ થાય તેવા એજન્ડા સાથે 09 જુલાઈથી દરેક જીલ્લામાં મિશન વિસ્તાર બેઠકો શરૂ થઈ છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં 14/07/2024,રવિવારે સાંજે 04:00 કલાકે નવા સર્કિટ, સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, મહારાષ્ટ્ર પ્રદેશ સહ પ્રભારી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઈસ્ટઝોન અધ્યક્ષ રાજૂભાઈ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી અમૃતભાઈ મકવાણા, કિસાન મોર્ચા પ્રદેશ અધ્યક્ષ રાજૂભાઈ કરપડા અને જીલ્લા અધ્યક્ષ રમેશભાઈ મેરની ઉપસ્થિતીમાં આ બેઠક યોજાવાની છે જેમાં સંગઠનને મજબૂત કરવા વિસ્તાર કરવા તથા નગરપાલિકાઓની આગામી ચૂંટણીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે તાલુકા સંગઠન, શહેર સંગઠન, નગરપાલિકા સંગઠન તથા વિવિધ વિંગ-મોર્ચાના તથા બૂથ લેવલના સાથીઓ ઉપસ્થિત રહેશે તેવું જણાવ્યું હતું.




