નર્મદા : પહેલગામની ઘટનાએ ૧૮ વર્ષ પેહલા ગુજરાતના પ્રવાસીઓ સાથે બનેલી ઘટનાને જાણે તાજી કરી દીધી ,જોકે હજુ પણ પરિવારો સહાયથી વંચિત
આવા આંતકવાદીઓ ને ફાંસી ની સજા આપવી જોઈએ, આમનો કોઈ ધર્મ હોતો નથી : પીડિતો
રાજપીપળા : જુનેદ ખત્રી
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ચર્ચા સમગ્ર ભારતમાં ભરમાં થઈ રહી છે. પહેલગામ ટુરિસ્ટ પ્લેસમા આતંકીઓ એ કરેલા આ જઘન્ય ઘાતકી હુમલામાં કુલ ૨૭ નિર્દોષોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે જેમાં ૩ જેટલા પ્રવાસીઓ ગુજરાત ના હોવાનું સામે આવ્યું છે.આ ઘટના સામે સમગ્ર દેશ વાસીઓ માં રોષ પ્રવર્તી રહ્યો છે, અને જવાબદારો ને જડબાતોડ જવાબ આપવા ની માંગ થઈ રહી છે.
આ હુમલા મા ભોગ બનેલા લોકોના કહેવા પ્રમાણે દેશ ની સુરક્ષા એજન્સીઓ ની ચૂક અને ઘટના સ્થળે કોઈ પોલીસ બંદોબસ્ત કે આર્મીના જવાનો હાજરના હોવાનું પણ તેમણે પોતાના મીડિયા ઇન્ટરવ્યૂ મા જણાવ્યું છે.
ત્યારે આવીજ એક ઘટના આજ થી ૧૮ વર્ષ પેહલા ગુજરાત ના પ્રવાસીઓ સાથે બનેલી ઘટના ફરી તાજી થઈ છે. ૧૫ જુલાઈના રોજ રાજપીપળા, વડોદરા, ડભોઈ અને શિનોર સહિતના ગામોથી બે લકઝરી બસ ભરી ને ૮૦ થી ૯૦ જેટલા મુસ્લિમ સમાજના પ્રવસીઓ અજમેર, દિલ્હી આગ્રા અને કાશ્મીરના પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે તેઓ જમ્મુ કાશમીરના જમ્મુ ખાતે એક હોટેલ મા ૦૩ દિવસ રોકણ કર્યા બાદ ૦૪ થા દિવસે જમ્મુ ની પ્રખ્યાત હઝરત બલ દરગાહના દર્શન બાદ શાલીમાર ગાર્ડન જોવા પહોંચ્યા હતા.
જ્યાં કેટલાક પ્રવાસીઓ ગાર્ડન જોવા પહોંચ્યા હતા અને કેટલાક લોકો બસ માંજ બેસી રહ્યા હતા તે દરમિયાન આતંકીઓ દ્વારા બસમા વચ્ચેની શીટ નીચે મુકેલો બૉમ્બ ધડાકાભેર ફાટતા જ બસના કાચ ફૂટ્યા હતા અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા અફરા તફરી મચી જવા પામી હતી.
ત્યારે બસ માં સવાર પ્રવાસીઓ પૈકી રાજપીપળા ના ૫૫ વર્ષીય મુસા ભાઈ ઇસ્માઇલ ભાઈ શેખ , રજિયા બાનું મલેક તેમજ ડભોઈ ના અમીના બીબી શિનોરના રાબીયા બેન અને જમ્મુ કાશ્મીરની નુશરત નામની એક સ્થાનિક યુવતી મળી કુલ ૦૫ લોકોના ઘટના સ્થળે જ મૌત થઈ ગયા હતા. અને ૨૪ જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી, જેમાં કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં રાજપીપળા ના બે વ્યક્તિ નું મૃત્યુ થયું હતું.
જેમાં મરણ જનાર મુસ્તફાભાઈ ઈસ્માઈલભાઈ શેખ તથા રઝિયાબેન મલેક ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે બીજા અન્ય ઈમ્તિયાઝ શેખ અને હસીનાબેન શેખ ગંભીર રીતે ઇજા પોંચી હતી. રાજપીપળાના જ એક અન્ય યુવતીની આંખમા બૉમ્બ ની કરચો ઘુસી જતા કાયમ માટે આંખ ગુમાવી હતી.
ગંભીર રીતે ઘવાયેલા મુસ્તફાભાઈને જમ્મુ ની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યારે ૦૪ મૃતદેહો તેમજ અન્ય મુસાફરોને આર્મી પ્લેન મારફતે વડોદરા હરણી એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા.અને તમામ ૦૪ મૃતદેહોને તેમના વતન તરફ અંતિમ વિધિ માટે રવાના કરાયા હતા
ત્યારે ૧૮ વર્ષ પેહલાં થયેલા આ આતંકી હુમલાની ઘટનામાં મરણ પામેલા હતભાગીઓ ના પરિવાર જનો અને ઘટના મા ભોગ બનેલા લોકો સાથે અમે વાત કરી સમગ્ર ઘટના વખતે શું બન્યું હતું એ જાણવા નો પ્રયાસ કર્યો છે.
મૃત્યુ પામેલ મુસ્તફાભાઈ ના પુત્ર સાથે વાત કરતા જણાવ્યું કે અમારા પરીવાર માંથી પાંચ વ્યક્તિ પ્રવાસે ગયા હતા. જેમાં મારા પિતા, માતા, ભાઈ, ભાભી, ભાણી હતા. જેમાંથી મારા પિતા નું મૃત્યુ પામ્યું હતું. ને બીજા પરિવાર ગંભીર રીતે ઘવાયા હતા. આ સમાચાર અમને બપોર ના સમય પર ટીવી જોતા હતા ત્યારે મારા મોટા પપ્પા એ સમચાર જોયા કે આવો કોઈ બનાવ બન્યો છે. ત્યારે તેમને તપાસ કરી તો આ બસ આપડી જ છે. જાણવા મળ્યું હતું.
વધુ મા મારી ભાણી એ મને જણાવ્યું હતું કે એક છોકરો આવ્યોને બોમ્બ નાખી જતો રહ્યો હતો. પછી ત્યાં ભાગદોડ થઈ હતી ને પછી બધા દવાખાના માં હતા. આજ દિન સુધીના ગુજરાત સરકાર કે ના કોઈ બીજી સરકાર દ્વારા કોઈ સહાય થઈ નથી. મારો પરિવાર હાલ દરજી કામ કરી ગુજરાન ચલાવે છે. આંતકવાદીઓ કોઈ ને જોતા નથી.
બીજા મૃત્યુ પામેલ રઝિયાબેન મલેક ના ભાઈ હુસેનભાઇ મલેક જણાવ્યું કે હું અક્કલ કૂવા કામ અર્થે ગયો હતો. આવ્યો તો બીજા લોકો જણાવ્યું કે આવો કોઈ બનાવ બન્યો છે. આ બનાવ માં કોઈ ગાડી ની અંદર બોમ્બ નાખેલા હતો, અને પછી બ્લાસ્ટ થયો હતો. મારા પરિવાર માંથી મારી બહેન, અને મારા મામી ગયા હતા. અમને આજ દિન સુધી અહેમદ પટેલ તરફ થી ૫૦ હજાર મળેલ છે. પણ ગુજરાત સરકાર કે બીજી કોઈ પણ સરકાર હોય એમની તરફ કોઈ સહાય મળી નથી. આજે ૧૮ વર્ષ થઈ ગયા કોઈ સહાય નથી તપાસ કરીએ છે તો જણાવે તમારુ કાગળ કોઈ જગ્યા એ રોકાઈ ગયું છે. એટલે તમારા પૈસા આવ્યા નથી. સાહેબો કહે ઉતરાણ આવશે એટલે આવી જશે આ વાત ને પણ ૦૪ મહિના થઈ ગયા છે. છતાં કોઈ સહાય આવી નથી.