GUJARATMODASA

ભિલોડા તાલુકાના ઓડ ગ્રામપંચાયત વિસ્તારમા બોરનાળા ગામ વિકાસથી વંચિત, આઝાદી પછી પણ ગામમાં સુવિધાઓનો અભાવ.!!! ચૂંટણી સમયે નેતાઓ મત મેળવવા આવે છે પછી ક્યારે ફરકતા નથી : ગ્રામજન

અમારા ગામ વિશે કોઈને ખબર જ નથી, સરકાર ને પણ નથી કે આ બોરનાળા ગામ ક્યાં આવ્યું :, ચૂંટણી સમયે માત્ર દિલાસો જ આપે છે :ગ્રામજન

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડા તાલુકાના ઓડ ગ્રામપંચાયત વિસ્તારમા બોરનાળા ગામ વિકાસથી વંચિત, આઝાદી પછી પણ ગામમાં સુવિધાઓનો અભાવ.!!! ચૂંટણી સમયે નેતાઓ મત મેળવવા આવે છે પછી ક્યારે ફરકતા નથી : ગ્રામજન

અમારા ગામ વિશે કોઈને ખબર જ નથી, સરકાર ને પણ નથી કે આ બોરનાળા ગામ ક્યાં આવ્યું :, ચૂંટણી સમયે માત્ર દિલાસો જ આપે છે : ગ્રામજન

સરકાર ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટો આપે છે પરંતુ આજે પણ કેટલાક ગામ અને ગ્રામપંચાયત એવી છે જ્યાં ગામનો વિકાસ થતો નથી. અને ગ્રાન્ટો પણ ચાઉં થઈ જતી હોય તેવા ઘાટ જોવા મળી રહ્યાં છે. વાત છે એક એવા ગામની જ્યાં આજે પણ પાયાની સુવિધાઓ જે માત્ર કાગળ તેમજ શોભાના ગાંઠિયા સમાન છે.

ભિલોડા તાલુકાના અંતરિયાર અને બોડર વિસ્તારમાં આવેલ બોરનાળા ગામ જે રાજેસ્થાન બોડર પર આવેલ ગામ જેથી ગામ બોડર વિલેજ વિસ્તાર તરીકે ઓળખાય છે રાજસ્થાન સરહદ ને અડીને આવેલ બોરનાળા ગામ  જ્યાં ગ્રામજનો એ આક્ષેપ કર્યા છે કે કે ગામ વિકાસ થી વંચિત છે વિકાસ પોહ્ચ્યો નથી.ભિલોડા તાલુકાનુ બોરનાળા ગામ આઝાદી થી આજદિન સુધી રોડ રસ્તાઓ પીવાના પાણીની કોઈ જ સુવિધા ગામલોકો ને મળેલ નથી જે માત્ર કામગીરી કરવા પૂરતી તેમજ કાગળ પર છે તેવો ઘાટ છે..ગ્રામજને જણાવ્યું હતું કે બોડઁર વિલેજ બોરનાળાના ખાખરધરા વિસ્તાર મા રોડ નુ નામ નિશાન નથી.ધરે પગપાળા ચાલીને જવુ પડે છે કોઈ વ્યક્તિ બિમાર પડે કે ઈમરજન્સી વખતે 108 પણ જઇ શકતી નથી બીજી તરફ આ ગામના ગામજનોએ જણાવ્યુ હતુ કે કેટલાક વર્ષ થી પાણી માટે ધર આગળ પાણી ની ચકલીઓ ફીટ કરી ગયા છે પરંતુ આજદિન સુધી પાણી આવેલ નથી ગામલોકોએ જણાવેલ કે પાણી ના નામના રૂપિયા કોના ખિસ્સામા ગયા ગ્રામજનો ને આજદિન સુધી પીવાના પાણી માટે વલખા મારવા પડે છે આ વિસ્તાર મા કોઇપણ જાતની પાયાની સુવિધા નથી સ્કુલ કોલેજ જતા વિધાર્થીઓએ બસ ની પણ સુવિધા ઉપલબ્ધ નથી ગામલોકોએ જણાવેલ કે અમો લોકો ગુજરાત રાજ્ય મા છીએ કે રાજસ્થાન એક કિલોમીટર દુર રાજસ્થાન ની બોડઁર આવેલ છે અહીથી દરરોજ દારૂના બુટલેગરો કાર તથા બાઇક ઉપર દારૂની હેરાફેરી કરે છે કોઈ માણસ મરી જાય તો સ્મશાન પણ તુટી ગયેલ છે સ્મશાન મા જવાનો રસ્તાઓ પણ નથી ચોમાસામા કેડ બરાબર પાણી મા થઈ ને નનામી લઈ ને જવુ પડે છે સરકાર તરફથી આવતી યોજનાઓ આજદિન સુધી બોરનાળા ના ખાખરધરા વિસ્તાર થઈ જ નથી થોડા સમય પહેલા સરકાર ધ્વારા બોડઁર વિલેજ ગ્રાન્ટ આપવામા આવી હતી તે રૂપિયાનુ શુ થયુ..? ગામલોકોએ જણાવેલ કે આ ક્યા રૂપિયા ક્યાં ગયા..?  ચુંટણી આવશે એટલે નેતાઓ આવે છે ચુંટણી પછી નેતાઓ અમારા વિસ્તાર મા આવતા નથી અમારા ગામમા રોડ રસ્તાઓ પીવાના પાણી તથા દવાખાનુ બસ ની સગવડ કરવામા આવે તે માટે આ વિસ્તાર ની જનતા એ અરવલ્લી કલેકટર ને રજૂઆત કરેલ છે સરકાર ધ્વારા એક બાજુ વિકાસ ની વાતો કરવામા આવે છે પરંતુ આ બોડઁર વિલેજ વિસ્તાર મા પાયાની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી જેવા ગ્રામજનો એ આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું.સરકાર ધ્વારા આ વિસ્તાર ની જનતા ને સુખ  સુવિધા પુરી પાડવામા આવે તેવી માંગ છે

Back to top button
error: Content is protected !!