NATIONAL

ચંદ્રયાન-3 (Chandrayaan-3) અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી સફળતાપૂર્વક દૂર કરીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ મોકલી દીધું

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારના રોજ ચંદ્રયાન-3 (Chandrayaan-3) અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી સફળતાપૂર્વક દૂર કરીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ મોકલી દીધું છે. ઈસરોએ નિવેદનમાં કહ્યું કે ‘ચંદ્રયાન-3 એ પૃથ્વીની ભ્રમણકક્ષાની  પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. અને હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.
ઈસરોએ જણાવ્યું કે ISTRAC (ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક) એ સફળતાપૂર્વક પેરીજી ફાયરિંગ કર્યું. જે બાદ સ્પેસક્રાફ્ટે ચંદ્ર તરફની યાત્રા શરૂ કરી દીધી છે. આગળનું પગલું ચંદ્ર તરફ પ્રયાણ છે. 5 ઓગસ્ટ, 2023 ના રોજ, ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ પછી, 16 ઓગસ્ટ સુધી, અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષાની આસપાસ ફરશે. લેન્ડર 17 ઓગસ્ટે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરવાનું છે.
ઈસરોએ તેની મહત્વાકાંક્ષી યોજના ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે જાણવાની સાથે ચંદ્રની જમીનનો અભ્યાસ કરશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!