વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં અંતરીયાળ ગામ ઘોડવહળનાં રહેવાસીઓ અણધાર્યા સંકટમાં મુકાયા છે.ગરમીની શરૂઆતમાં થયેલા અણધારેલા વરસાદને લીધે અંબિકા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે. પરિણામે, અંબિકા નદીનું પરનાં કોઝવેકમ પુલ પરથી પાણી ફરી વળતા ગામનો તાલુકા અને જિલ્લાના મુખ્ય સ્થળો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.ડાંગ જિલ્લામાં વિકાસનાં સૂત્ર સાથે કાર્યરત શાસક પક્ષ વિકાસની વાતો કરી રહ્યું છે.ત્યારે આ કમોસમી વરસાદમાં જ જો ઘોડવહળ ગામને જોડતા કોઝવેકમ પુલ પરથી પાણી જતુ હોય તો ચોમાસાની ઋતુમાં લોકોની હાલત કેવી થતી હશે જે વિચારવા જેવી બાબત છે.આ કમોસમી વરસાદનાં પગલે અંબિકા નદીનાં જળ સ્તરમાં વધારો થતાની સાથે જ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના વિકાસના દાવાઓની વાસ્તવિકતા છતી કરે છે.ઘોડવહળથી તાલુકાના મુખ્ય મથક વઘઇ અને જિલ્લાના મુખ્ય મથક આહવાને જોડતો અગત્યનો પુલ ઊંચો બનાવવા માટે ગ્રામજનોએ અનેકવાર વિનંતીઓ અને રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સામાન્ય વરસાદમાં પણ શાસક પક્ષના વિકાસના દાવાની પોલ ખુલી ગઈ છે.ઘોડવહળથી તાલુકા મથક વઘઇ અને જિલ્લા મથક આહવા ને જોડતો મહત્વનો કોઝવે ને ઊંચો કરવા ગ્રામજનોની લેખિત મૌખિત રજૂઆત બાદ પણ કોઝવે ઊંચો ન બનાવતા કમૌસમી સામાન્ય વરસાદમાં ભાજપ સરકારનાં વિકાસ મંત્રની પોલ ખુલ્લી પડી જવા પામી છે.ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ ઘોડવહળ ગામને જોડતો મહત્વનો કોઝવે કમૌસમી વરસાદમાં અંબિકા નદીમાં ગરકાવ થતા વાહન ચાલકો સહીત રાહદારીઓ માટે ભયજનક બનવા પામ્યો છે.આ કોઝવે પર ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે પૂરમાં ગરકાવ થયા બાદ કલાકો સુધી પાણી ઓસરવાની રાહ જોયા વગર કોઈ વિકલ્પ ન હોય દર્દીઓ કે શાળાએ જતા વિદ્યાર્થીઓને ભયજનક રીતે કોઝવે પસાર કરવો પડે છે.ચોમાસામાં આ કોઝવે પરથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના દુર્ગમ વિસ્તારમાં આવેલ ઘોડવહળને જોડતો મહત્વનો કોઝવેકમપુલ કમોસમી વરસાદમાં અંબિકા નદીમાં ડૂબી જતાં વાહન ચલાવનારાઓ અને પગપાળા ચાલનારાઓ માટે જોખમી બન્યો છે.વરસાદની ઋતુમાં જ્યારે ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે અને આ કોઝવેકમ પુલ પાણીમાં ગરકાવ થઈ જાય છે, ત્યારે કલાકો સુધી પાણી ઓસરવાની રાહ જોયા વિના કોઈ વિકલ્પ રહેતો નથી. આવી સ્થિતિમાં બીમાર લોકો કે શાળાએ જતા બાળકોને પણ જોખમી રીતે પુલ પાર કરવો પડે છે. આ ઉપરાંત ચોમાસું શરૂ થાય તે પહેલાં પુલના બહાર નીકળેલા લોખંડના સળિયાનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ઘોડવહળ ગામનાં લોકોની સમસ્યાનો ઉકેલ કરશે કે પછી દુર્લક્ષતા સેવશે તે આવનાર સમય જ બતાવશે..