વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા નાબાર્ડના સહયોગથી નવસારીના મોગાર ગામે એસ.એચ.જી.ની ૯૦ બહેનોને દસ દિવસની બેકરી એન્ડ કેટરિંગ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નાબાર્ડના ડી.ડી.એમ. શ્રી બી.કે.સામંતરાય તથા ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ્રના શ્રી મેહુલભાઇએ બહેનોને તાલીમ વિશે માહિતગાર કરી, તાલીમ લઇ સ્વરોજગારી મેળવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમ બાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બેંક ઓફ બરોડાના શ્રી તપનભાઇ, વલસાડ કો.ઓપરેટીવ બેંકમાંથી વિશાલ ટંડેલ, ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રેનર રજની હિરાની ઉપસ્થિત રહયા હતાં.