GUJARATMULISURENDRANAGARTHANGADHWADHAWAN

થાનગઢના ખાખરાથળ માં કોલસાની ગેરકાયદેસર ખાણમાં ભેખડ ધસી પડતા એકનું મોત

મૃતક યુવાન મુળીના રાયસંગપર ગામનો

તા.26/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે વાડી વિસ્તારમાં ધમધમતી કોલસાની ગેરકાયદેસર ખાણમાં આજે ભેખડ ધસી પડવાથી એક મજુર નું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું ત્યારે એક મહિનામાં જ કુલ ૭ શ્રમિકોના મોત કોલસાની ગેરકાયદેસર ખાણોમાં થતા ચકચાર ફેલાઈ છે મળતી માહિતી મુજબ ખાખરાથળના એક ખેડૂત ની વાડીમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે તેમાં મજુરી કામ કરતા મુળી તાલુકાનાં રાયસંગપર ગામનો યુવાન ઉ.વ.૩૬ નું મોત નિપજયું હતું તેઓ ને ત્રણ સંતાન હોય હાલ બાળકો નોધારા બન્યા છે રાયસંગપરના ધીરૂભાઇ મકવાણાના યુવાન પુત્રનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી કોલસાની ગેરકાયદેસર ખાણોમા મૃત્યુ આંક સતત વધતો જાય છે દિન પ્રતિદિન અકસ્માતમાં શ્રમિકો હોમાતા જાય છે અને ખાણ ખનીજ વિભાગ મામલતદાર કચેરી પગ ઉપર પગ ચડાવી સબ સલામતની વાત કરે છે ખરેખર આ ખનીજ માફીયાઓને નાથવાની જવાબદારી તેઓના શિરે હોય તેમ છતાં આંખ આડા કાન કરી ચાલવા દેવામાં આવે છે દર‌ વર્ષે ૧૦૦ મજુર આ ખનીજ ખનન વહન ગેરકાયદેસર ખાણોમાં મૃત્યુ પામે છે પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને હપ્તો સિસ્ટમના કારણે ખનીજ માફીયાઓ બેફામ બની ખોદકામ કરતાં હોય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!