મહાનગર પાલિકા, જુનાગઢ દવારા ગણેશ મહોત્સવ નીમીતે અસ્થાયી વિસર્જન કુંડ રાઉન્ડ ધ કલોક ૨૪×૭ કલાક કાર્યરત
મહાનગર પાલિકા,જુનાગઢ દવારા શ્રધ્ધાળુ ભાવિકોને માટીના ગણપતિ (ઇકો-ફ્રેઈન્ડલી)મૂર્તિની સ્થાપના કરવા અને આ અસ્થાયી વિસર્જન કુંડમાં વિસર્જન કરવા માટે અનુરોધ

ગણેશ મહોત્સવ નિમિતે શ્રદ્ધાળુઓ દવારા ઘર શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ભગવાનશ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.મહાનગર પાલિકા, જુનાગઢ દવારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મીક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો આયોજકો મંડળો વગેરેએ ગણેશજીની સ્થાપના પુર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે દર વર્ષેની માફક તા:૦૭/૦૯/૨૦૨૪ શનિવારના રોજ ભવનાથ વિસ્તારમાં દુધેશ્વર મંદિર પાસે વોટર વર્કસનો સંપ સંતશ્રી ઈન્દ્રભારતીજીના પ્રવેશ દવાર,જુનાગઢ પાસે “અસ્થાયી વિસર્જન કુંડ” બનાવવામાં આવેલ છે.જેમાં મૃગી કુંડ,નારાયણ ધરો,તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રીવેણી સંગમના જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિથી ગણપતીજીના વિસર્જન માટે વિસર્જન કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ત્રીવેણી સંગમમાં વિસર્જન કરી વિશેષ પુણ્ય અને ભાગ્યશાળી બનવા અને પર્યાવરણ તથા વહેતા પાણીને દુષિત થતુ અટકાવવાનાં સહિયારા પ્રયાસમાં સહભાગી થવા માટે લોકો દ્વારા તા:૦૭/૦૯/૨૦૨૪ ના રોજ ૧(એક) મૂર્તિ તા:૦૮/૦૯/૨૦૨૪ના રોજ ૬૦ (સાઇઠ) તેમજ તા:૦૯/૦૯/૨૦૨૪ના રોજ ૨૧૯ (બેસો ઓગણીસ) આમ કુલ ત્રણ દિવસમાં ૨૮૦ (બેસો એંસી) મૂર્તિઓનું વિસર્જન કરવામા આવ્યું હતું.
મહાનગર પાલિકા,જુનાગઢ દવારા શ્રધ્ધાળુ ભાવિકોને માટીના ગણપતિ (ઇકો-ફ્રેઈન્ડલી)મૂર્તિની સ્થાપના કરવા અને આ અસ્થાયી વિસર્જન કુંડમાં વિસર્જન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.તેમજ દર વર્ષેની જેમ રાઉન્ડ ધ કલોક ૨૪×૭ કલાક કાર્યરત રહેશે.





