KALOL(Panchamahal)PANCHMAHAL
જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ શ્રી વલ્લભાચાર્યજી ના 549 માં પ્રાગટ્ય દિન નિમિત્તે વેજલપુર માં શોભાયાત્રા નીકળી.

તારીખ ૧૪/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર મુકામે પૂજ્ય શ્રી વલ્લભાચાર્યજી ની 549 મા પ્રાગટ્ય દિન નિમિત્તે વિશાળ શોભાયાત્રા મંદિર ફળિયામાં આવેલ ભગવાન શ્રીનાથજી ની હવેલી થી નીકળી મુખ્ય બજાર કાછીયાવાડ માળી ફળિયા તેમજ વિવિધ વિસ્તારોમાં જઈ યાત્રાનું વિસર્જન થયું હતું આ શોભાયાત્રા માં મોટા પ્રમાણમાં વૈષ્ણવ ભાઈ બહેનો જોડાઈ અને ભગવાન શ્રી નાથજી ના કીર્તનો ગાઈ સવૅ વૈષ્ણવ ભાઈ બહેનો ભક્તિમય બન્યા હતા







