વિજાપુર ગુંછળી ગામે પર્યાવરણ ની શુદ્ધિ કરણ માટે વૃક્ષા રોપણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગુંછળી ગામે પર્યાવરણની શુદ્ધિ કરણ માટે “શ્રી રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ ગુંછળી” તથા “સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા વિસ્તરણ રેંજ ” દ્વારા કરવામાં આવ્યું હતુ આ નિમિતે વન વિભાગના અધિકારી, ગુંછળી ગુજરાતી શાળાના શિક્ષકો, બાળકો તથા સમસ્ત ગામ જનો સાથે ૧૧૫૧ વૃક્ષો વાવ્યા અને મહત્તમ ફળાઉ વુક્ષ કે જેમાં પંખી નિવાસ કરવાનું પસંદ કરે છે
૧૧૫૧ વૃક્ષોના વન ને “પંખી નિવાસ” નું નામ આપવામાં આવ્યું હતુ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરીએ અને પ્રકૃતિ સાથે જોડાવાના સંકલ્પ સહિત સામૂહિક પ્રતિજ્ઞા “જય હિન્દ”ના સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ સંપન્ન કર્યો હતો