KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે પાણીના સંપ પાસે ગંદકી દૂર કરાવવા ભક્તજનોની માંગ.

તારીખ ૨૬/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




