BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના ઉણધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે રમેલ તથા યજ્ઞ યોજાયો…

કાંકરેજ તાલુકાના ઉણધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે રમેલ તથા યજ્ઞ યોજાયો...

કાંકરેજ તાલુકાના ઉણધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે રમેલ તથા યજ્ઞ યોજાયો…

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાથી ૧૧ કી.મિ દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણ થી ૨ કી.મી.દૂર શિયા રોડ ઉપર વર્ષો પહેલા ખેતરમાં ભૂદેવ પરીવારે વસવાટ કરી ખેતરમાં શ્રી ગોગા મહારાજ ની નાની દેરી બનાવી ધૂપ,દીપ,પૂજા-અર્ચના, અગરબત્તી,આરતી વગરે સેવા પૂજા કરતા હતાં.સમય જતાં આજુબાજુના ખેતર વિસ્તાર, ઉણ,શિયા,અણદપુરા,ભદ્રેવાડી, વાલપૂરા તેમજ થોડેથોડે કાંકરેજ તથા ગુજરાત રાજયમાં આ જગ્યા આસ્થાનું કેન્દ્ર બનેલ. દૂર દૂર થી અઢારેય વર્ણના ભાવિક ભક્તો આ જગ્યાએ દર પૂનમે દાદાના ધામે માથું ટેકવી બાધા આખડી પુરી કરતા હતા.આ જગ્યાએ દેરીમાંથી ભુવાજી રમેશભાઈ જોષી અને પિતા જોષી હરિરામભાઈ ભોજાભાઈ ના અથાગ પરિશ્રમથી ભવ્ય મંદિરનું નિર્માણ કરી તાજેતરમા પ્રતિષ્ઠા કરવામાં આવેલ આ અતિ પાવન સ્થળે તા.૨૬/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ઠક્કર રક્ષાબેન જનકકુમાર (કુમકુમ મંડપ, થરા), ઠક્કર કિંજલબેન મિથુનભાઈ ના યજમાન પદે ભુવાજી રમેશભાઈ જોષીની ઉપસ્થિતિમા યજ્ઞના આચાર્ય ડાયાભાઈજોષી સહીત ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે નવચંડી એવમ લઘુરૂદ્ર યજ્ઞ બાદ સાંજે આરતી ઉતારી રાત્રે ભોજન પ્રસાદ લઈ ડાકના તાલે રમેલ (જાતર)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.આખી રાત્રી ભુવજીઓએ રમેલની રમઝટ બોલાવી સવારે શુભ ચોઘડીએ શ્રીગોગા મહારાજ,કુળદેવીશ્રી રણાય માતાજી તેમજ દેવી દેવતાઓને સૂર્યદેવની સાક્ષીએ તેલ ફૂલ ચડાવેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!