CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો.
મૂકેશ પરમાર નસવાડી
છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા ના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૫ જેટલી અરજીઓ મળી હતી. જે પૈકી ૩ અરજીઓનું સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, અધિક નિવાસી કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
