GUJARAT

નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સ બિલ પર 10% વળતર (રીબેટ) રૂપે રાહત આપવા બાબત જાહેર નોટિસ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત માહિતી મુજબ પ્રોત્સાહન યોજના અંતર્ગત 2025-2026 ના પ્રોપર્ટી ટેક્સ બિલ પર 10% વળતર (રીબેટ) રૂપે રાહત આપવા બાબત નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર નોટિસ આપવામાં આવે છે.

તારીખ 01/05/2025 થી 30/06/2025 દરમિયાન જે મિલકતધારકો નાણાકીય વર્ષ 2025-2026 માટેની સંપૂર્ણ મિલકતકર રકમ એકમુષ્ટ ચૂકવશે તેમને કુલ રકમ પર 10% રીબેટ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ ફક્ત તે મિલકતધારકોને મળશે જેમણે અગાઉના વર્ષોનો બાકી કર સંપૂર્ણ ચૂકવ્યો હશે.આ રીબેટ મળ્યા પછી કોઈ પણ પરિસ્થિતિમાં ફરીથી રીબેટ આપવામાં આવશે નહીં.

નવસારી મહાનગરપાલિકા તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ સમયમર્યાદા દરમિયાન રકમ જમા કરીને આ રાહતનો લાભ લેશે અને મહાનગરપાલિકાને સહયોગ આપશે. તા. 30/06/25 પછી કોઈ પણ પ્રકારનું વળતર (રિબેટ) આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા
નાયબ મ્યુનિસિપલ કમિશ્નર નવસારી મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!