GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: વિંછીયા તાલુકાના ભોંયરા ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું

તા.૧૫/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

૪૦૦થી વધુ ગ્રામજનોએ આરોગ્ય શિબિરનો લાભ લીધો: ડ્રોન નિદર્શન કરાયુ

Rajkot: ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરના ગામોગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથના આગમન થઈ રહ્યા છે. વિંછીયા તાલુકાના ભોંયરા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. આ તકે પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાતા આશરે ૪૮૮ ગ્રામજનોએ લાભ લીધો હતો. સરકારશ્રીની આયુષ્માન ભારત, રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર યોજના સહિતની યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન નિદર્શન, સોઈલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો.

ભોંયરા ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે, ગામ પંચાયતોમાં જલજીવન મિશન અને જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી અને ૧૦૦% જનધન યોજના, ૧૦૦% પી.એમ.કિશાન યોજના, ઓ.ડી.એફ. પ્લસ ગ્રામપંચાયતને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં ભોંયરા ગામના સરપંચશ્રી ભરતભાઈ મકવાણા, તલાટીમંત્રીશ્રી એસ.જી.ખાંભલા, આચાર્યશ્રી રમેશભાઈ ડાભી, ગ્રામસેવકશ્રી જે.કે.સાંબડે સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!