Rajkot: ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં લોકતંત્રના મહાપર્વમાં જોડાવા મહંતોએ કર્યો અનુરોધ
તા.૨૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ગાયત્રી શકિતપીઠ તથા માટેલ ધામ દ્રારા કરાઈ મતદાનની અપીલ
Rajkot: આગામી તા.૦૭ મે ૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદાન યોજાશે. ત્યારે હાલ સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી યુવા થી લઈ વયોવૃદ્ધ મતદારો સુધીના સર્વેને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ સઘન ઝુંબેશમાં વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના મહંતો પણ જોડાયા છે.
૬૭-વાંકાનેર વિસ્તારમાં ગાયત્રી મંદિર, ગાયત્રી શકિતપીઠના મહંત શ્રી અશ્વિનબાપુ રાવલ તથા માટેલ ધામ દ્વારા મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. લોકતંત્રને મજબૂત કરવા નિર્ભયપણે મતદાનમા સહકાર આપવા મહંતશ્રીઓએ વાંકાનેરની જનતાને તા. ૭ મેના રોજ મતદાન દિવસે અચૂક બૂથ પર જવા અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં હાલ કુલ ૨ લાખ ૮૬ હજાર ૪૭૯ મતદારોમાં ૧ લાખ ૩૮ હજાર ૬૦૪ મહિલા અને ૧ લાખ ૪૭ હજાર ૮૭૩ પુરુષ મતદારો નોંધાયેલ છે ત્યારે નોંધાયેલ મતદારો મતદાન કરવા બૂથ પર પણ આવે તે માટે સ્વીપ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ અધિક કલેક્ટર તથા સ્વીપના નોડલ અધિકારી શ્રી જીજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.