અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળો મોડાસા ખાતે યોજાયો
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળો મોડાસા ખાતે યોજાયો હતો.મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે યોજાયેલા લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા હતા.આ પહેલથી વ્યાજખોરીનો ભોગ બનેલા પરિવારજનોને પગભર કરી શકાય, તે માટે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા લોન મેળો યોજવામાં આવ્યો હતો.આ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યું હોય તો નજીકના પોલિસ મથકનો સંપર્ક કરવા નાયબ પોલિસ વડાએ અપીલ કરી હતી.