GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મતદાતાઓને પ્રોત્સાહન માટે વિવિધ વસ્તુઓ તેમજ હોટલમાં વિશેષ ડિસ્કાઉન્ટ

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારનો દરેક નાગરિક લોકસભાની ચૂંટણીના મહાપર્વની ઉજવણીમાં જોડાય, તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મતદાતાઓને પ્રોત્સાહન આપવા ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે.

રાજકોટ શહેરમાં મતદાનના દિવસે એસ્ટ્રોન ચોક ખાતે સેમસંગ એસેસરીઝની ખરીદી પર ૭% વળતર તેમજ તમામ મોબાઈલ એસેસરીઝની ખરીદી પર ૧૦% વળતર આપવામાં આવશે. અડીંગો રેસ્ટોરન્ટમાં લંચ અને ડીનરમાં ૧૦% તેમજ ભાભા હોટલમાં તા. ૭ અને ૮ મેના રોજ લંચ, ડીનર અને સ્ટે માટે ૧૦% વળતરની જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં, વહીવટી તંત્ર દ્વારા વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલી બજારમાં વેપારીઓને ૭% વળતર આપવાની સમજૂતી કરવામાં આવી હતી. તેમજ મતદાનનું મહત્વ સમજાવતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી, વધુમાં વધુ લોકોને મત આપવા જવાની પ્રેરણા મળી શકે. આમ, નાગરીકોને રચનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!