થરાદ અને વાવ તાલુકામાં દિવાળી તહેવાર માટે ફટાકડા વેચાણના હંગામી પરવાના મેળવવા માટે અરજદારોને અપીલ કરાઈ
11 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
હંગામી ફટાકડા પરવાના માટે અરજીઓ તા. ૨૬/૦૯/૨૦૨૫ સુધી સ્વીકારાશે.થરાદ સબ ડીવીઝન હેઠળના થરાદ તથા વાવ તાલુકા વિસ્તારમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા વેચાણ માટે હંગામી પરવાના મેળવવા ઈચ્છતા ઈસમોએ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, થરાદની કચેરીમાંથી નિયત નમુનાનું અરજી ફોર્મ (AE-5) મેળવી તમામ જરૂરી પુરાવા અને વિગતો સાથે ભરી અરજી મોડામાં મોડા તા. ૨૬/૦૯/૨૦૨૫ સુધી રૂબરૂમાં કચેરીએ રજુ કરવાની રહેશે.આ અરજી ફોર્મ સાથે રજુ કરવાના આધાર પુરાવાની વિગત નીચે મુજબ છે. (૧) નિયત નમુનાનું અરજી ફોર્મ પુરતી વિગતો સાથે ભરીને ત્રણ નકલમાં રજુ કરવાનું રહેશે. (૨) અરજદારશ્રીના અરજી ફોર્મની પ્રથમ નકલ પર રૂા. ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ તથા પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોટાડવાનો રહેશે તથા તાજેતરના પાસપોર્ટ સાઈઝના ૨ (બે) ફોટોગ્રાફ અલગથી રજુ કરવાના રહેશે. (૩) હંગામી ફટાકડા પરવાનાની ફી પેટે રૂા.૯૦૦/- “૦૦૭૦ ઓ.એ.એસ. ૬૦ અધર સર્વિસ ૧૦૩ Receipts under Explosive Act” સદરે જમા કરાવી અસલ ચલણ રજુ કરવાનું રહેશે. (૪) અરજી ફોર્મમાં ફટાકડાનો જથ્થો સ્પષ્ટ લખવાનો રહેશે. (૫) જગ્યાની માલીકીના આધાર રજુ કરવાના રહેશે. જો જગ્યા ભાડાની હોય તો ભાડા ચીઠ્ઠી રજુ કરવાની રહેશે. (ત્રણ નકલમાં) (૬) માંગણીવાળી જગ્યાનો બ્લ્યુ પ્રિન્ટ નકશો રજુ કરવાનો રહેશે. જેમાં દુકાનનું ક્ષેત્રફળ (ચો.મી.), સ્ટોરેજ કેપેસીટી, એપ્રોચ રોડ, ચારેબાજુની સ્થળ સ્થિતિ, વિજળીનું ફીટીંગ વિગેરેની વિગતો સહ રજુ કરવાનો રહેશે. (ત્રણ નકલમાં) (૭) ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-૨૦૧૩ અન્વયે અરજદાર ફાયર સેફટી બાબતે રાખવાની જોગવાઈઓ તથા જરૂરી ફાયરસેફટી અને એન.ઓ.સી. સબંધિત તંત્ર પાસેથી મેળવી રજુ કરવું રહેશે. (૮) હંગામી ફટાકડા પરવાનો મંજુર થાય તો રજી.પો.એ.ડી.થી મોકલી આપવામાં આવશે. અથવા કોઈ કારણસર રજી.એડી. શકય ન બને તો અરજદારશ્રીએ તા. ૧૮/૧૦/૨૦૨૫ સુધીમાં અત્રેની કચેરીએ આવી જાતે જ મેળવી લેવાનો રહેશે.નિયત સમય મર્યાદા બહાર મળેલ તથા અધુરી વિગત વાળી અરજી ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમજ પરવાનો મેળવવા અરજદાર હકદાર ગણાશે નહીં. તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ થરાદ તુષાર કે જાની દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.